બનાસકાંઠાની બનાસનદીના તટ પર વસેલું મહાદેવિયા ગામ
આ ગામનું નામ ત્યાં આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું
વર્ષો પહેલા ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું
અહિંયા મહાદેવનાં મંદિરનું નિર્માણ કરાવ્યુ અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું
મહાદેવિયા ગામમાં આવેલું સોનેશ્વર મહાદેવનું મંદીર 400 વર્ષ જૂનું છે
સદીઓ પહેલા અહી સાધુ સંતો ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં અને ગ્રંથોના અધ્યાય કરતા
આ અધ્યાય પૂરા થતાં સંતો ગ્રંથમાં પીપળનું પાન મુક્તા હતા
એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું
શિવરાત્રી અને શ્રાવણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે
આ મંદીરમાં મહાદેવને મીઠું, ગોળ અને રીંગણ ચઢાવવામાં આવે છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો