Heading 1

યાત્રાધામોના વિકાસને ચાર ચાંદ લગાડવા સરકાર કમર કસી રહી છે

હાલ, દ્વારકા સહિત અન્ય યાત્રાધામમાં સરકાર દ્વારા કરોડોના વિકાસ કાર્યો ચાલે છે

પ્રવાસન ક્ષેત્રે દ્વારકા નગરીમાં સોનાનો સૂરજ ઉગે તેવા સંજોગો જોવા મળશે

ઓખા,બેટ, દ્વારકા જવા માટે આજદિન સુધી એકમાત્ર ફેરી બોટ જ વ્યવસ્થા હતી 

જોકે તેના સ્થાને હવે સિગ્નેચર બ્રીજ વિકલ્પ તરીકે વિકસી રહયો છે

દ્વારકા વચ્ચે 4. 5 કિમીના અંતરમાં સમુદ્રમાં પીલર ઊભા કરી સિગ્નેચર બ્રીજનું નિર્માણ થઈ રહ્યું છે

ટૂંક સમયમાં જ બ્રીજ તૈયાર થશે જેને પગલે યાત્રિકો વાહનો મારફત બેટ દ્વારકા પહોંચી શકશે

બેટ દ્વારકા સુધીનો સમુદ્રનો માર્ગ રસ્તા સાથે જોડવાનું PM મોદીનું સપનું હતું 

અને તેની તેમણે 2017માં જાહેરાત પણ કરી હતી

જે અનુસંધાને હાઈવે ઓથોરિટી દ્વારા ખાનગી કંટ્રક્શન કંપનીને કામ સોંપાયુ છે

હાલ 300 જેટલા ઇજનેરની મદદથી બ્રીજની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે

બ્રીજની ઓખા બાજુની 1066 મીટર લંબાઈ છે તેમજ બેટ દ્વારકા બાજુની 1180 મીટર અને 27 મીટર પહોળો રહેશે

બ્રીજ પર 2.5 મીટર પહોળા ફૂટપાથ બનાવવામાં આવશે

બોટના વિકલ્પ રુપે સમુદ્રમાં પીલર ઊભા કરી સિગ્નેચર બ્રીજનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો