સોમનાથમાં માત્ર 21 રૂપિયામાં થશે 'બિલ્વપુજા સેવા'
સોમનાથ દાદાને ઘરે બેઠા ઓનલાઇન જ બીલીપત્ર ચઢાવી શકો છો.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે 'બિલ્વપુજા સેવા' લોન્ચ કરી છે.
સોમનાથ મંદિરમાં માત્ર એકવીસ રૂપિયા આપી આ પૂજા કરાવી શકાશે.
ઓનલાઈન અને વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા નોંધણી કરી શકાશે.
પૂજા સંપન્ન થયા બાદ સીધું જ બીલીપત્ર પોસ્ટના માધ્યમથી તેમના ઘરે પહોંચી જશે.
સોમનાથ મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનું પુણ્ય હવે પ્રત્યેક ભક્તને મળશે.
શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપ નાશ પામે છે.
શિવરાત્રી પહેલા આ સુવિધાથી ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો