આ કલ્પવૃક્ષ તમામ મનોકામના કરશે પૂરી!
જૂનાગઢના ભવનાથમાં પ્રવેશ કરતા પહેલા વાઘેશ્વરી મંદિર આવેલું છે
અહીં એક રુખડનું ઝાડ આવેલું છે, જે 100 વર્ષ જૂનું કહેવામાં આવે છે
એવી માન્યતા છે કે ઝાડ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યુ હતું
અહીંના મહંતે જણાવ્યુ આ રુખડના ઝાડ સાથે લોકોની અનેરી આસ્થા જોડાયેલી છે
લોકોની માન્યતા છે કે આ ઝાડ પાસે જે માંગણી કરવામાં આવે તે પૂર્ણ થાય છે
ઘણા બધા નિઃસંતાન દંપતિઓ સંતાન પ્રાપ્તિ માટે અહીં પારણા બાંધે છે
અહીં માનતા પછી દંપતિને સંતાન પ્રાપ્તિ થઈ હોય તેવા અનેક કિસ્સા છે
એવી માન્યતા છે કે મુચકુંદ ગુફા તરફ જતા સમયે શ્રીકૃષ્ણએ આ વૃક્ષની સ્થાપના કરી હતી
બહારગામથી અનેક લોકો અહીં આવીને પોતાની મુજબ માનતા માંગે છે
લોકોની આસ્થાને ધ્યાનમાં લઈ કોર્પોરેશને પણ રોડ પહોળો કરવા આ ઝાડ કાપ્યુ નહતું
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો