મહાશિવરાત્રિ પહેલા મળે આવા સંકેત તો સમજી લો ભાગ્ય ઊઘડી ગયું

 

હિન્દુ ધર્મનાં સૌથી મોટા તહેવાતોમાંથી એક મહાશિવરાત્રિનો અવસર 18 ફેબ્રુઆરીના રોજ ઉજવાશે 

 

મહાશિવરાત્રિ પહેલા સપનામાં કેટલીક ખાસ વસ્તુઓ જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહાદેવ જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ કરશે.

 

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો મહાશિવરાત્રિના થોડા દિવસ પહેલા સપનામાં શિવલિંગનો દૂધથી અભિષેક કરતા જુઓ તો સમજી લો કે ભગવાન શિવ તમારી બધી મુશ્કેલીઓને દૂર કરશે અને જીવન આનંદથી ભરેલું રહેશે.

 

મહાશિવરાત્રિ પહેલા સપનામાં બીલીપત્ર કે તેના વૃક્ષ દેખાય તો શિવજી તમારા પર મહેરબાન રહેશે અને ધન સંબંધી દરેક સમસ્યાનું નિવારણ થશે.

 

મહાશિવરાત્રિ પહેલા જો સપનામાં રુદ્રાક્ષની માળા કે રૂદ્રાક્ષનો મણકો જોવા મળે તો તેને શિવના આશીર્વાદ માનવામાં આવે છે. 

 

એટલે કે ભોલેનાથની કૃપાથી તમારા દુઃખ, રોગ, દોષ દૂર થશે અને બગડેલાનો પણ નિકાલ થશે.

 

સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે જે લોકો મહાશિવરાત્રિ પહેલાં સ્વપ્નમાં કાળા શિવલિંગને જુએ તો તેને નોકરીમાં પ્રગતિનો સંકેત માનવામાં આવે છે. 

 

આ સપનું એ પણ બતાવે છે કે નોકરીની શોધમાં રહેનારા લોકોને નવી તકો મળશે. માત્ર ધૈર્ય અને પ્રામાણિકતાથી તમારું કાર્ય કરતા રહેવું.

 

જો તમે શંકર-પાર્વતીને સ્વપ્નમાં સાથે બેઠેલા જુઓ તો તે વિવાહિત જીવનમાં સુખના આગમનનો સંકેત માનવામાં આવે છે. 

 

તેનો અર્થ એ પણ છે કે લગ્નના બધા અવરોધો દૂર થશે અને ઇચ્છિત જીવનસાથી મળશે. 

 

સ્વપ્ન શાસ્ત્ર મુજબ મહાશિવરાત્રી પહેલા સપનામાં નાગ દેવતા જોવા મળે તો ધન લાભનો સંકેત માનવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો