ચૈત્ર નવરાત્રિ પર ગ્રહોનો ખાસ સંયોગ થવાનો છે, જેમાં 5 ગ્રહો ગુરુ, સૂર્ય, ચંદ્ર, બુધ અને નેપ્ચ્યુન(વરુણ) એકસાથે મીન રાશિમાં બેસશે.
ચાલો જાણીએ કે ચૈત્ર નવરાત્રિ પર બનવા જઈ રહેલા આ મહાન સંયોગથી કઈ રાશિઓને ફાયદો થશે.
મિથુન: આ ગ્રહોના સંયોગથી લાભ થશે. કરિયરની દ્રષ્ટિએ કેટલીક નવી તકો મળી શકે છે અને મા દુર્ગાની વિશેષ કૃપાથી તમને વેપારમાં ફાયદો થશે.
તમારા ઘર અને પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે. પરસ્પર સંબંધો મધુર રહેશે, નજીકના અને પ્રિયજનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
વૃશ્ચિક: વેપારમાં લાભદાયી સાબિત થશે. અટકેલા તમામ કાર્યો પૂર્ણ થશે. બધા નિર્ણયો કાળજીપૂર્વક લો. બીજી તરફ લોકો માટે સારા પરિણામ લાવશે.
વ્યવસાયિક જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. જે લોકોના લગ્ન નથી થઇ રહ્યા તેમની સંભાવના છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. રોકાણ માટે સારો સમય. ખર્ચ નિયંત્રણમાં રહેશે.
કર્ક: ગ્રહની આ મહાપંચાયતની શુભ અસર જોવા મળશે. નોકરીમાં પ્રમોશનના સમાચાર મળી શકે છે. આવકમાં વધારો થવાની પણ સંભાવના છે.
ભાઈ-બહેનનો પૂરો સહયોગ મળશે. મા દુર્ગાની પૂજા કરવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. કર્ક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે.
કન્યા: કન્યા રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રે વિશેષ લાભ મળી શકે છે. કન્યા રાશિના જાતકો માટે આ નવરાત્રિમાં પ્રોપર્ટી ખરીદવાની સંભાવના છે.
કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થશે. તમે લાંબા સમયથી જે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે હવે પૂર્ણ થઈ શકે છે. મહિલાઓ સોનું ખરીદી શકે છે.
મીન: આ ગ્રહોના મહાન સંયોગથી મીન રાશિના લોકોને ફાયદો થવાનો છે. આ કારણે તમને નોકરીમાં નવી તકો મળી શકે છે. પૈસાની બચત થશે.
પગાર પણ વધી શકે છે. આવકના સ્ત્રોત વધશે. વેપારની દૃષ્ટિએ પણ આ રાજયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.