શનિ ઉદયથી આ રાશિઓને લાભ જ લાભ
31 જાન્યુઆરીના રોજ શનિ ગ્રહ કુંભ રાશિમાં અસ્ત થયો હતો. હવે 5 માર્ચના રોજ રાત્રે 08:46 વાગ્યે શનિનો કુંભ રાશિમાં ઉદય થશે.
હાલમાં શનિ અસ્ત હોવાને કારણે કેટલાક જાતકો પર સાડાસાતી અને ઢૈય્યાની અસર છે.
શનિના ઉદય થવાથી 12 રાશિઓ પર અસર થશે, જેમાંથી 3 રાશિના જાતકો પર શનિદેવ મહેરબાન રહેશે.
વૃષભ, સિંહ અને કુંભ રાશિના જાતકોને ફાયદો થશે. શશ રાજયોગ બનવાને કારણે નોકરી, બિઝનેસ અને કરિઅરમાં લાભ થશે.
વૃષભ- શનિદેવની કૃપાથી તમારા કરિઅરમાં તરક્કી થશે. નોકરિયાત વ્યક્તિઓએ શબ્દો પર કાબૂ રાખીને સહકર્મીઓ સાથે કામ કરવાનું રહેશે. તમારો વિકાસ થશે અને તમને નવી નોકરી માટેનો પ્રસ્તાવ મળી શકે છે.
જે લોકો બેરોજગાર છે, તેમને નોકરી મળી શકે છે. શનિદેવની શુભ અસરને કારણે તે સમય અનુકૂળ રહેશે. બિઝનેસમાં નફો થવાના સંકેત મળી રહ્યા છે. મોટા પાયે રોકાણ કરવા માટે નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સિંહ- શનિનો કુંભ રાશિમાં ઉદય થવાને કારણે સંબંધો વધુ મજબૂત થશે. તમારે તમારા જીવનસાથીના વિચારોનું સમ્માન કરવું જોઈએ. તેમની સલાહની મદદથી તમને ધનલાભ થઈ શકે છે.
સંબંધોમાં મીઠાશ આવે તે માટે વાણી અને વ્યવહાર સારા હોવા જરૂરી છે. જો તમે બિઝનેસ કરો છો, તો મોટી તક મળી શકે છે. જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે.
કુંભ- શનિનો કુંભ રાશિમાં ઉદય થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં તમને લાભ થશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમને તમારું નસીબ સાથ આપશે. જે લોકો વિવાહ યોગ્ય છે, તેમના લગ્નની વાત નક્કી થઈ શકે છે.
બિઝનેસ સાથે જોડાયેલા લોકોને કામમાં સફળતા મળશે અને નફો કમાવાની તક પ્રાપ્ત થશે. નાણાં પ્રાપ્ત થવાનો યોગ બનશે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો