ગુરુવારના આ અચૂક ઉપાય કરશે બેડોપાર

ગુરુવારને બૃહસ્પતિવાર પણ કહેવામાં આવે છે. ગુરુ એક મહત્વપૂર્ણ ગ્રહ છે. બૃહસ્પતિને દેવતાઓના ગુરુ પણ કહેવામાં આવે છે. 

ધાર્મિક ગ્રંથોમાં બૃહસ્પતિ દેવની આરાધનાની અનેક રીતો જણાવવામાં આવી છે. જેને અપનાવવાથી તમારી કુંડળીનો ગુરુ મજબૂત થશે અને તમારા બધા જ બગડેલા કામ પાર પડવા લાગશે. 

ગુરુવારે કેસર, પીળુ ચંદન કે પછી હળદરનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દાન કરવાથી ગુરુ મજબૂત થાય છે,  આરોગ્ય અને સુખની વૃદ્ધિ થાય છે, અને  ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

તમે આ વસ્તુઓનું દાન ન કરી શકો તો તેને તિલક રૂપે પણ લગાવી શકો છો. તેનાથી પણ લાભ થાય છે અને આ દિવસે જો તમે કેટલાંક ઉપાય કરશો તો તમને જીવનમાં કોઇપણ પ્રકારની સમસ્યા નહીં આવે. 

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. સ્નાનના સમયે 'ૐ બૃ બૃહસ્પતે નમ:'નો જાપ પણ કરો. ગુરુના તમામ પ્રકારના દોષને દૂર કરવા માટે તમે ગુરુવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં ચપટી હળદર નાંખીને સ્નાન કરો.

આ સાથે જ સ્નાન કરતી વખતે 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ જરૂર કરો.

ગુરુવાર નું વ્રત અને કેળાના વૃક્ષને જળ અર્પિત કરીને પૂજા અર્ચના કરો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણોનું સમાધાન થશે અને જો તમે પરણિત છો તો તમારા વૈવાહિક જીવનમાં કોઇપણ પ્રકારની સમસ્યા નહીં આવે. 

સ્નાન બાદ પીળા રંગના વસ્ત્ર ધારણ કરો. સ્નાન બાદ ભગવાન વિષ્ણુની પ્રતિમા કે છવિ સામે ઘીનો દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુના પીળા રંગના ફૂલો સાથે તુલસીનો એક નાનો છોડ અથવા પાન અર્પિત કરો.

તમારા કપાળ પર હળદર, ચંદન અથવા કેસરનું તિલક ધારણ કરો. માન્યતા અનુસાર ભગવાન બૃહસ્પતિને પીળા રંગની વસ્તુઓ પ્રિય છે. તેથી આ દિવસે બ્રાહ્મણોને પીળા રંગની વસ્તુઓ જેવી કે, ચણાની દાળ, ફળ વગેરે દાન કરો.

આ દિવસે સવારના સમયે ચણાની દાળ અને થોડો ગોળ ઘરના મુખ્ય દ્વાર પર મુકો. આ દિવસને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

ઘરમાં ધનની બરકત માટે ગુરુવારનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે પીળા રંગની વસ્તુઓનું વિશેષ મહત્વ છે. 


ગુરુવારના દિવસે કોઇને ઉધાર ન આપો અથવા તો કોઇ પાસેથી ઉધાર ન લો. જો તમે આવું કરો છો તો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ થઇ શકે છે અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. 

જો તમે ગુરુવારે વ્રત કરી રહ્યાં છો તો સત્યનારાયણની વ્રત કથા જરૂર સાંભળો અથવા પઠન કરો. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો