હોમ » વીડિયો » ગુજરાત

દેશના દુશ્મનોને મળશે જડબાતોડ જવાબ: કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ

અમદાવાદ February 4, 2017, 6:07 PM IST

રાજનાથે કહ્યું કે, પાકિસ્તાન આપણો પડોશી દેશ છે. જો સર્જિકલ સ્ટ્રાઇકની સારી અસર છે તો આપણે ફરી આવું પગલું નહીં ઉઠાવીએ પરંતુ જો આતંદવાદી સંગઠન કે પછી કોઇ આપણા દેશને નિશાન બનાવે છે તો અમે ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક નહીં થાય એની કોઇ ગેરંટી આપી ન શકાય. પાકિસ્તાન સઇદ હાફિજ સામે કાર્યવાહી કરે સર્જિકલ સ્ટ્રાઇક બાદ રાજનાથસિંહે પહેલીવાર મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે. ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ઇસ્લામાબાદમાં મુબંઇ હુમલાના મુખ્ય ષડયંત્રકારી અને આતંકી સંગઠન જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિજ સઇદની નજરબંદી પાકિસ્તાન માટે આંખ ખોલવા સમાન છે. જો પાકિસ્તાન સરકારે આતંકીઓ વિરૂધ્ધ એક્શન લેવા માટે ખરેખર જો ગંભીર છે તો સઇદ સામે કાર્યવાહી કરવી જોઇએ અને જેલ મોકલી દેવો જોઇએ. તેમણે કહ્યું કે, મને પાક્કી ખાતરી છે કે અમે એને ભારત પરત લાવવામાં સફળ થઇશું. એમાં સમય લાગી શકે છે. ચીન જરૂર સાથ આપશે હાફિજ સઇદ વિરૂધ્ધ ચીનના વલણ અંગે રાજનાથસિંહે કહ્યું કે, ચીન આ મામલે સમર્થન નહીં આપે. એનું કારણ એની આંતરિક નીતિ જવાબદાર હોઇ શકે. પરંતુ મને આશા છે કે ભવિષ્યમાં એક દિવસ જરૂર આવશે કે તે આપણો સાથ જરૂર આપશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ મુલ્કોના નાગરિકો પર પ્રતિબંધ અંગે રાજનાથસિંહે કોઇ ટિપ્પણી કરવા અંગે સ્પષ્ટ ઇન્કાર કર્યો. એમણે એટલું કહ્યું કે ટ્રમ્પે આટલો મોટો નિર્ણય આંતરિક આતંકી સ્થિતિને લઇને કર્યો હોવો જોઇએ. હું સીએમની રેસમાં નથી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે રાજનાથસિંહ કહ્યું કે, ભાજપ જરૂરથી જીતશે. હવે બસપા અને સપા કોંગ્રેસ ગઠબંધનથી એ નક્કી છે કે કોણ ભાજપ સરકારના વિપક્ષમાં હશે. યૂપીમાં પોતાને મુખ્યમંત્રી પદના રેસમાં હોવા અંગેના સવાલ અંગે તેમણે કહ્યું કે, હું અત્યારે ગૃહમંત્રી છું. એવામાં જો કોઇ અન્યને મુખ્યમંત્રી પદ આપવામાં ના આવે તો એમની સાથે નાઇન્સાફી હશે. યૂપી ચૂંટણીમાં કોઇને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર ન કરવાથી ભાજપને નુકશાન નહીં જાય.

Haresh Suthar | News18 Gujarati

રાજનાથે કહ્યું કે, પાકિસ્તાન આપણો પડોશી દેશ છે. જો સર્જિકલ સ્ટ્રાઇકની સારી અસર છે તો આપણે ફરી આવું પગલું નહીં ઉઠાવીએ પરંતુ જો આતંદવાદી સંગઠન કે પછી કોઇ આપણા દેશને નિશાન બનાવે છે તો અમે ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક નહીં થાય એની કોઇ ગેરંટી આપી ન શકાય. પાકિસ્તાન સઇદ હાફિજ સામે કાર્યવાહી કરે સર્જિકલ સ્ટ્રાઇક બાદ રાજનાથસિંહે પહેલીવાર મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે. ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ઇસ્લામાબાદમાં મુબંઇ હુમલાના મુખ્ય ષડયંત્રકારી અને આતંકી સંગઠન જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિજ સઇદની નજરબંદી પાકિસ્તાન માટે આંખ ખોલવા સમાન છે. જો પાકિસ્તાન સરકારે આતંકીઓ વિરૂધ્ધ એક્શન લેવા માટે ખરેખર જો ગંભીર છે તો સઇદ સામે કાર્યવાહી કરવી જોઇએ અને જેલ મોકલી દેવો જોઇએ. તેમણે કહ્યું કે, મને પાક્કી ખાતરી છે કે અમે એને ભારત પરત લાવવામાં સફળ થઇશું. એમાં સમય લાગી શકે છે. ચીન જરૂર સાથ આપશે હાફિજ સઇદ વિરૂધ્ધ ચીનના વલણ અંગે રાજનાથસિંહે કહ્યું કે, ચીન આ મામલે સમર્થન નહીં આપે. એનું કારણ એની આંતરિક નીતિ જવાબદાર હોઇ શકે. પરંતુ મને આશા છે કે ભવિષ્યમાં એક દિવસ જરૂર આવશે કે તે આપણો સાથ જરૂર આપશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ મુલ્કોના નાગરિકો પર પ્રતિબંધ અંગે રાજનાથસિંહે કોઇ ટિપ્પણી કરવા અંગે સ્પષ્ટ ઇન્કાર કર્યો. એમણે એટલું કહ્યું કે ટ્રમ્પે આટલો મોટો નિર્ણય આંતરિક આતંકી સ્થિતિને લઇને કર્યો હોવો જોઇએ. હું સીએમની રેસમાં નથી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે રાજનાથસિંહ કહ્યું કે, ભાજપ જરૂરથી જીતશે. હવે બસપા અને સપા કોંગ્રેસ ગઠબંધનથી એ નક્કી છે કે કોણ ભાજપ સરકારના વિપક્ષમાં હશે. યૂપીમાં પોતાને મુખ્યમંત્રી પદના રેસમાં હોવા અંગેના સવાલ અંગે તેમણે કહ્યું કે, હું અત્યારે ગૃહમંત્રી છું. એવામાં જો કોઇ અન્યને મુખ્યમંત્રી પદ આપવામાં ના આવે તો એમની સાથે નાઇન્સાફી હશે. યૂપી ચૂંટણીમાં કોઇને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર ન કરવાથી ભાજપને નુકશાન નહીં જાય.

Latest Live TV

તાજેતરના સમાચાર