Home » photogallery » valsad » શિયાળામાં આરોગ્ય સુધારવું હોય એક વાર ચાખી જુઓ વલસાડનું ઉંબાડીયુ, સ્વાદનો લાગી જશે ચસ્કો

શિયાળામાં આરોગ્ય સુધારવું હોય એક વાર ચાખી જુઓ વલસાડનું ઉંબાડીયુ, સ્વાદનો લાગી જશે ચસ્કો

Valsad Umbadiu: શિયાળાની મોસમ  શરૂ થતા જ રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં શિયાળું વાનગીઓની પાર્ટીઓ જામે છે. વલસાડ જિલ્લામાં પણ શિયાળામાં ચટાકેદાર આરોગ્યવર્ધક ઉંબાડિયા નામની વાનગીની ભારે બોલ બાલા છે.

  • 110

    શિયાળામાં આરોગ્ય સુધારવું હોય એક વાર ચાખી જુઓ વલસાડનું ઉંબાડીયુ, સ્વાદનો લાગી જશે ચસ્કો

    ભરત પટેલ, વલસાડ: શિયાળાની મોસમ  શરૂ થતા જ રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં શિયાળું વાનગીઓની પાર્ટીઓ જામે છે. અત્યારે લોકો ક્યાંક પોંન્ક પાર્ટી, ક્યાંક દાળ રોટલાની પાર્ટી, ક્યાંક ટોઠાની પાર્ટી તો ક્યાંક ઊંધિયા પાર્ટી કરતા હોય છે. વલસાડ જિલ્લામાં પણ શિયાળામાં ચટાકેદાર આરોગ્યવર્ધક ઉંબાડિયા નામની વાનગીની ભારે બોલ બાલા છે.

    MORE
    GALLERIES

  • 210

    શિયાળામાં આરોગ્ય સુધારવું હોય એક વાર ચાખી જુઓ વલસાડનું ઉંબાડીયુ, સ્વાદનો લાગી જશે ચસ્કો

    કંદમૂળ અને લીલી પાપડીને માટલામાં ભરી ભઠામાં બાફીને અનોખી રીતે બનાવવામાં આવતું ઉંબાડીયુ એક વાર ચાખી લો... તો એનો સ્વાદ ક્યારેય ભુલાશે નહિ. આખા શિયાળામાં ઉંબાડીયાની સિઝન ચાલે છે. આ વિસ્તારના લોકો માટે કમાણી અને રોજગારનું એક મોટુ માધ્યમ પણ પુરવાર થાય છે.

    MORE
    GALLERIES

  • 310

    શિયાળામાં આરોગ્ય સુધારવું હોય એક વાર ચાખી જુઓ વલસાડનું ઉંબાડીયુ, સ્વાદનો લાગી જશે ચસ્કો

    વલસાડ જિલ્લો વલસાડી આફૂસ કેરી માટે દુનિયાભરમાં જાણીતો છે. જોકે શિયાળામાં વલસાડ જિલ્લામાં તમતમતા ચટાકેદાર ઉંબાડીયાની બોલ બાલા રહે છે. ઉંબાડીયુ વલસાડ જિલ્લામાં શિયાળાની સૌથી ફેવરેટ વાનગી છે. સૌ પ્રથમ જાણીએ કે, આ ઉંબાડીયુ કેવી રીતે બને છેૉ? ઉંબાડીયુ મુખ્યત્વે શિયાળામાં મળતા સક્કરિયા, રતાલુ, બટેટા જેવા કંદમૂળ અને લીલી પાપડીમાંથી બને છે.

    MORE
    GALLERIES

  • 410

    શિયાળામાં આરોગ્ય સુધારવું હોય એક વાર ચાખી જુઓ વલસાડનું ઉંબાડીયુ, સ્વાદનો લાગી જશે ચસ્કો

    ઉંબાડીયાની એક વિશેષતા એ છે કે, એમાં એક પણ ટીપું તેલનું વપરાતું નથી. ઉંબાડીયુ બનાવવા માટે સક્કરિયા, રતાલુ, બટેટા અને લીલી પાપડીને સાફ કરીને તેમા હળદર સહિત અન્ય દેશી મશાલાને ભરી તેને આ વિસ્તારમાં મલતિ એક વિશેસ વનસ્પતિમાં વિટાડીને માટીના માટલામાં ભરીને પેક કરી દેવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 510

    શિયાળામાં આરોગ્ય સુધારવું હોય એક વાર ચાખી જુઓ વલસાડનું ઉંબાડીયુ, સ્વાદનો લાગી જશે ચસ્કો

    આ બાદ લાકડા અને છાણાંના સળગતા ભઠા પર માટલાને ઉંધુ કરીને મુકવામાં આવે છે. લાબા સમય સુધી તેને તપાવ્યા બાદ તે તૈયાર થઈ જાય છે. ત્યાર બાદ ગરમા ગરમ બાફેલા ઉંબાડિયામાં લીલા મરચા ધાણાની તીખી ચટણી નાખીએ એટલે તે ખાવા માટે તૈયાર થઈ જાય છે.

    MORE
    GALLERIES

  • 610

    શિયાળામાં આરોગ્ય સુધારવું હોય એક વાર ચાખી જુઓ વલસાડનું ઉંબાડીયુ, સ્વાદનો લાગી જશે ચસ્કો

    ઉંબાડીયાની બોલબાલા એટલી છે કે, નાનાથી લઈને મોટા લોકોને ઉંબાડીયાના સ્વાદનો ચસ્કો લાગી જાય છે. જંકફૂડના જમાનામાં તેલ વિના તૈયાર થયેલ તીખા તમતમતા ચટાકેદાર ઉંબાડીયાનો ચસ્કો નાના બાળકો અને મોટા લોકોને લાગે છે. ઉંબાડીયાના સ્ટોલ પર લોકોની લાઈનો લાગી જાય છે.

    MORE
    GALLERIES

  • 710

    શિયાળામાં આરોગ્ય સુધારવું હોય એક વાર ચાખી જુઓ વલસાડનું ઉંબાડીયુ, સ્વાદનો લાગી જશે ચસ્કો

    મહત્વપૂર્ણ છે કે, શિયાળામાં લીલા શાકભાજી અને કંદમૂળને ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું વિજ્ઞાન પણ માને છે. ત્યારે તેલ રહિત ઉંબાડીયુ શિયાળા માટે સૌથી ઉત્તમ હેલ્થ ટોનિક પણ માનવામાં આવે છે. આથી ઉંબાડીયુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોવાથી લોકો હોંશે હોંશે ઉંબાડીયાનો સ્વાદ માણે છે.

    MORE
    GALLERIES

  • 810

    શિયાળામાં આરોગ્ય સુધારવું હોય એક વાર ચાખી જુઓ વલસાડનું ઉંબાડીયુ, સ્વાદનો લાગી જશે ચસ્કો

    માત્ર વલસાડ જિલ્લાના લોકો જ નહી પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો ઉંબાડીયાના સ્વાદના ઘેલા છે. આથી વલસાડ જિલ્લામાંથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેસનલ હાઇવે પર આખો શિયાળો ઉંબાડીયાના અસંખ્ય સ્ટોલ જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 910

    શિયાળામાં આરોગ્ય સુધારવું હોય એક વાર ચાખી જુઓ વલસાડનું ઉંબાડીયુ, સ્વાદનો લાગી જશે ચસ્કો

    આથી આ હાઇવે પરથી આવતા જતા લોકો પણ ઉંબાડીયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. આમ શિયાળામાં ત્રણ મહિના સુધી ઉંબાડીયુ તેના સ્વાદ અને તેની વિશેષતાને લઈ લોકોને સ્વાસ્થ માટે તો ફાયદાકારક છે.

    MORE
    GALLERIES

  • 1010

    શિયાળામાં આરોગ્ય સુધારવું હોય એક વાર ચાખી જુઓ વલસાડનું ઉંબાડીયુ, સ્વાદનો લાગી જશે ચસ્કો

    આ ચટાકેદાર ઉંબાડીયુ એક કિલોના 250 રૂપિયાથી લઈ 300 રૂપિયાના ભાવથી મળે છે. જોકે ભાવ મોંઘો હોવા છતા પણ લોકો મોંઘા ભાવનું ઉબાડીયુ ખાવાનું ભૂલતા નથી. ઉંબાડીયાના કારણે લોકોને ઘર બેઠા જ નવી રોજગારી મળી રહે છે. ઉંબાડીયાએ ગ્રામીણ આદિવાસી લોકો માટે નવી રોજગારીનો માર્ગ પણ ખોલ્યો છે.

    MORE
    GALLERIES