Home » photogallery » valsad » પંજાબમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

પંજાબમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

પંજાબ (Punjab)માં પ્રચંડ બહુમતીથી આમ આદમી પાર્ટી (Aam Adami party)ની સરકાર બનતા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. ત્યાં જ આ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી (Gujarat Election)આવી રહી છે. આથી આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે.

  • 16

    પંજાબમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

    ભરતસિંહ વાઢેર, વલસાડ : પંજાબમાં પ્રચંડ બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. ત્યાં જ આ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આથી આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે.

    MORE
    GALLERIES

  • 26

    પંજાબમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

    આજે વલસાડમાં આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

    MORE
    GALLERIES

  • 36

    પંજાબમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

    તિરંગા યાત્રા માં ગુલાબ સિંહ યાદવની સાથે વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. અને તિરંગા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વલસાડ શહેરના જાહેર માર્ગો પર રેલી યોજી હતી. અને આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખી અને કાર્યકર્તાઓને અત્યારથી તૈયાર રહેવા માટે આમ આદમી પાર્ટીના પ્રભારી  ગુલાબ સિંહ યાદવે આહવાન કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 46

    પંજાબમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

    આ વખતે ગુજરાતમાં પણ લોકો પરિવર્તન માટે મત મતદાન કરશે તેવું આદમી પાર્ટીના પ્રભારી  ગુલાબ સિંહ યાદવે જણાવ્યું હતું. જો કે દિલ્હીમાં નવા એલ.જી. નામની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જેમાં સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 56

    પંજાબમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

    અરવિંદ કેજરીવાલે પણ દિલ્હીના નવા એલજીના માટે પ્રફુલ્લ પટેલનાં નામની ચાલી રહેલી ચર્ચા મુદ્દે ટ્વીટ કરી અને  સરકારને સવાલ પૂછ્યો હતો. ત્યારે આજે ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબ સિંહ યાદવને પણ આ મુદ્દે પૂછતા. તેઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

    MORE
    GALLERIES

  • 66

    પંજાબમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

    પ્રફુલ પટેલને ગુંડા તરીકે સંબોધતી અને દિલ્હીમાં દિલ્હીના નવા એલજી તરીકે પ્રફુલ પટેલની ચાલી રહેલી ચર્ચાનો વિરોધ કર્યો હતો. આથી જો પ્રફુલ પટેલને આગામી સમયમાં દિલ્હીના નવા એલજી બનાવવામાં આવશે તો આ મુદ્દો વધારે ગરમાસે. તેવું લાગી રહ્યું છે.

    MORE
    GALLERIES