અક્ષય જોષી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના (surendranagar news) લખતર તાલુકાના (lakhatar news) વિઠ્ઠલગઢ ગામમાં નવરાત્રીના ગરબામાં યુવકની છરી વડે (murder during navratri) હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને (police arrested accused) દબોચી લીધો હતો. પોલીસે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી મૃતકની બહેનને એકતરફી પ્રેમ કરતો હતો. જે બાબતે યુવતીના પરિજનોએ ઠપકો આપ્યો હતો અને એનું મનદુઃખ રાખીને યુવતીના ભાઈની હત્યા કરી દીધી હતી. (મૃતક અને આક્રંદ કરતા પરિજન)
મળતી માહિતી પ્રમાણે વિઠ્ઠલગઢ ગામના યુવકની હત્યાના આરોપી વિષ્ણુ બુધાભાઈ વિઠ્ઠલગઢ ગામની સીમમાં છુપાયો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડીને દબોચી લીધો હતો. આરોપી વિષ્ણુને પોલીસે કડક પૂછપછ કરતાં જાણવા મળ્યું હતું. વિજય લોરીયાની બહેનને વિષ્ણુ એક તરફી પ્રેમ કરતો હતો. જેની જાણ થતાં વિજય અને તેના પરિજનોએ વિષ્ણુને ઠપકો આપ્યો હતો. (મૃતક વિજયની ફાઈલ તસવીર)
શું હતી ઘટના? સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે નવરાત્રીમાં ગરબામાં 22 વર્ષીય વિજય લોરીયાને છાતીના ભાગે છરી વડે હુમલો કરતા મોત નિપજ્યું હતું. નવરાત્રીમાં ચાલુ ગરબા દરમિયાન હુમલાખોર છરીથી યુવક પર હુમલો કરી ફરાર થઈ ગયો હતો. જેથી હુમલામાં ઈજાગ્રસ્ત યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.