રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. વ્યાજખોરોના ત્રાસના કારણે લોકો આત્મહત્યા (suicide) કરી પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સમાજમાં બનતા રહે છે ત્યારે સુરેન્દ્રનગરમાં (surendranagar) માથાભારે વ્યાજખોરોના કારણે યુવકે એસિડ (drink acid) ગટગટાવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે વઢવાણ વિસ્તારમાં નાણાંધીરનાર 14 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. (વ્યાજખોર નરસી પટેલની તસવીર)
મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં વ્યાજે ઉછીનાં નાણાં લીધા બાદ વ્યાજની રકમ બાબતે માનસિક ત્રાસ આપતા આખરે કંટાળીને એસિડ પી ગયાનો મામલો સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે 14 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વ્યાજખોર નસીર પટેલનું નામ પણ સામે આવી રહ્યું છે. આ ઉપરાંત ફરિયાદ કરાયેલા વ્યાજખોરોમાં મોટાભાગના વઢવાણના રાજપુતોનો સમાવેશ થાય છે. (વ્યાજખોર નરસી પટેલની તસવીર)