Home » photogallery » surendranagar » સુરેન્દ્રનગર: પૂર ઝડપે જતી કારે પલટી મારી, ફંગોળાઈને ખેતરમાં પડી, એકનું નિધન

સુરેન્દ્રનગર: પૂર ઝડપે જતી કારે પલટી મારી, ફંગોળાઈને ખેતરમાં પડી, એકનું નિધન

કચ્છના પરિવારને ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર નડ્યો અકસ્માત, કાર ફંગોળાઈને હાઈવે પરથી બાજુના ખેતરમાં પડી.

  • 16

    સુરેન્દ્રનગર: પૂર ઝડપે જતી કારે પલટી મારી, ફંગોળાઈને ખેતરમાં પડી, એકનું નિધન

    રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર: ખોટી ઉતાવળને કારણે દરરોજ અનેક અકસ્માત (Road Accident) થતા હોય છે. હાઇવે પર પૂર ઝડપે વાહન હંકારવાને કારણે દરરોજ અનેક અકસ્માતો નોંધાઈ રહ્યા છે. આવો જ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લા (Surendrangar District)માં બન્યો છે. જેમાં એક વ્યક્તિનું નિધન થયું છે. આ બનાવમાં કાર (Car) ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર હાઇવે પરથી ફંગોળાઈને બાજુના ખેતરમાં પડી હતી.

    MORE
    GALLERIES

  • 26

    સુરેન્દ્રનગર: પૂર ઝડપે જતી કારે પલટી મારી, ફંગોળાઈને ખેતરમાં પડી, એકનું નિધન

    મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં તેજ ગતિએ જતી એક કાર પલટી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે જ્યારે આ બનાવમાં ચાર લોકોને ઈજા પહોંચી છે.

    MORE
    GALLERIES

  • 36

    સુરેન્દ્રનગર: પૂર ઝડપે જતી કારે પલટી મારી, ફંગોળાઈને ખેતરમાં પડી, એકનું નિધન

    ધ્રાંગધ્રા માલવણ હાઇવે પરથી તેજ ગતિમાં જતી કાર અચાનક પલટી મારી ગઈ હતી. ડ્રાઇવરે કોઈ કારણને લીધે કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારી ગઈ હતી. જે બાદમાં કાર ફંગોળાઈને બાજુના ખેતરમાં પડી હતી.

    MORE
    GALLERIES

  • 46

    સુરેન્દ્રનગર: પૂર ઝડપે જતી કારે પલટી મારી, ફંગોળાઈને ખેતરમાં પડી, એકનું નિધન

    આ અંગે મળતી માહિતી પ્રમાણે કારમાં કચ્છનો પરિવાર સવાર હતો. અકસ્માત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી મૃતકને પોસ્ટ મોર્ટમ અને ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતમાં કારની નંબર પ્લેટ તૂટીને નીચે પડી ગઈ હતી, તેમજ કારને ખૂબ જ નુકસાન થયું છે. નંબર પ્લેટ પ્રમાણે કાર મુંબઈમાં નોંધાયેલી છે. અકસ્માતને પગલે કારના બોનેટ અને પાછળના ભાગનો બુકડો બોલી ગયો હતો.

    MORE
    GALLERIES

  • 56

    સુરેન્દ્રનગર: પૂર ઝડપે જતી કારે પલટી મારી, ફંગોળાઈને ખેતરમાં પડી, એકનું નિધન

    સામે આવેલી તસવીરો પરથી જોઈ શકાય છે કે કાર ફંગોળાઈને બાજુમાં આવેલા કપાસના ખેતરમાં અટકી હતી. આ દરમિયાન કારમાં રહેલો સામાન કેતરમાં વિખેરાયો હતો. માસ્ક અને થેલા સહિતની વસ્તુઓ વેર-વિખેર પડી હોવાનું જોવા મળી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 66

    સુરેન્દ્રનગર: પૂર ઝડપે જતી કારે પલટી મારી, ફંગોળાઈને ખેતરમાં પડી, એકનું નિધન

    મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં વૈશાલીબેન રાજેશભાઈ બાંભણીય (ઉં.વ.180, રચનાબેન રાજેશભાઈ (ઉં.વ 07), રાજેશભાઈ મૂળજીભાઈ (ઉં.વ. 49) અને વાલીબેન રાજેશભાઈ (ઉં.વ. 40) ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં હેરશભાઈ રાઠોડ નામના વ્યક્તિનું નિધન થયું છે.

    MORE
    GALLERIES