સુરેન્દ્રનગર: વિદેશમાં તમે મોટાં મોટાં વંટોળિયા (whirlwind)ના દ્રશ્યો જોયા હશે. કંઈક આવા જ દ્રશ્યો સુરેન્દ્રનગર (Surendranagar whirlwind) પંથકમાં જોવા મળ્યા છે. આવા દશ્યો જોવા મળતા લોકોને કૂતુહલ થયું હતું, સાથે જ ભયનો માહોલ પણ ફેલાયો હતો. મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર (Lakhtar whirlwind) તાલુકામાં આવું દ્રશ્યો જોવા મળ્યું હતું.
રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે: મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય મેઘ મહેર નથી થઈ. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. કારણ કે ચોમાસું બેઠાને 9 દિવસ વિતવા છતાં હજુ 200 જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. આ તરફ હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ તથા સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદની આગાહી છે. ગુરૂવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં હજુ સિઝનનો માંડ 4 ટકા વરસાદ વરસ્યો છે. 5 જિલ્લાને બાદ કરતાં બાકીના 28 જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી. જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સૌ કોઈ વરસાદના એક સારા રાઉન્ડની રાહ જોઈને બેઠું છે.