Home » photogallery » surat » સુરત : માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ફરી ધોળેદિવસે ખેલાયો ખૂની ખેલ

સુરત : માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ફરી ધોળેદિવસે ખેલાયો ખૂની ખેલ

સુરતમાં ગુનાહિત કૃત્યો કરનારા લોકો બેફામ, આશિષસિંહ રાજપૂત નામના યુવકને ચાર-પાંચ જેટલા શખ્સોએ ઊપરાછાપરી ઘા મારી રહેંસી નાખ્યો

विज्ञापन

  • 16

    સુરત : માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ફરી ધોળેદિવસે ખેલાયો ખૂની ખેલ

    કિર્તેશ પટેલ, સુરત : સુરતના પાંડેસરામાં ફરી એક વાર જાહેરમાં (Surat) ખૂની ખેલ ખેલાયો છે, જોકે અહીંયા જમીન વિવાદને લઇને જમીન પર ગેરકાયદેસર કબજો કરતા યુવાનને (Man stabbed to death) પાંચ કરતા વધુ ઈસમોએ આવીને જાહેરમાં તીક્ષ્ણ હથિયાર (Attack on Man) વડે રહેંસી નાખી હત્યા કરી ફરાર થઇ જતા પોલીસ (Surat Police) દોડતી થઇ છે. જોકે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી  જવા પામી છે. સુરતમાં સતત હત્યાની ઘટના બની રહી છે ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છે.

    MORE
    GALLERIES

  • 26

    સુરત : માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ફરી ધોળેદિવસે ખેલાયો ખૂની ખેલ

    બનાવની વિગત એવી છે કે શહેરના પાંડેસરા વિસ્તારમાં આશિષ નગર ખાતે રહેતા અને જમીન વિવાદોમાં સંડોવાયેલ રાજન રાજેશ સિંગ રાજપૂત (Ashish singh Rajput stabbed to death) આમ તો પોતાના વિસ્તારમાં માથાભારે ઈસમની છપ ધરાવતો હો અને ગેરકાયદેસર જમીની પર કબજા બાબતે અનેક લોકો સાથે ભૂતકાળમાં માથાફૂટ થઈ ચુકી છે.

    MORE
    GALLERIES

  • 36

    સુરત : માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ફરી ધોળેદિવસે ખેલાયો ખૂની ખેલ

    ત્યારે આ ઈસમ આજે પાંડેસરાના   પાંડેસરા ડી-માર્ટની બાજુમાં આવેલ મોહન નગરમાં (Pandesara D-Mart) હતો તે સમયે ચારથી પાંચ જેટલા ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા અને જુના જમીન વિવાદને ને લઈને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની જાહેરમાં નિર્મમ હત્યા કરી ત્યાંથી ભાગી છૂટ્યાં હતા.

    MORE
    GALLERIES

  • 46

    સુરત : માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ફરી ધોળેદિવસે ખેલાયો ખૂની ખેલ

    જોકે આ ઈસમની હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ હત્યાની જાણકારી મળતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઈ હતી અને તાત્કાલિક બનાવ વળી જગ્યા પર પહોંચીને આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

    MORE
    GALLERIES

  • 56

    સુરત : માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ફરી ધોળેદિવસે ખેલાયો ખૂની ખેલ

    જોકે મરનાર ઈસમ માથાભારે હોવાથી તેની હત્યા અંગત અદાવતમાં કે જમીન વિવાદમાં થઈ હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 66

    સુરત : માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ફરી ધોળેદિવસે ખેલાયો ખૂની ખેલ

    પોલીસને ઘટના સ્થળેથી હત્યાના પુરાવા અને અનેક મહત્વની ચીજો મળી છે જેના આધારે હત્યારાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જોકે, સુરતમાં અઠવાડિયામાં ભાગ્યે જ કોઈ દિવસે એવો ખાલી જતો હશે જ્યારે હત્યા ન થઈ હોય ત્યારે આગામી દિવસોમાં શું સ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું

    MORE
    GALLERIES