કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં દિનપ્રતિદિન તસ્કરોનો આતંક વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે,તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગને પડકારી પાંડેસરાના કાશી વિશ્વનાથ મદિરમાં મૂકેલી દાન પેટીની રકમની ચોરી કરી ભાગી છૂટ્યા હતા જેની જાણ થતાં જ પાંડેસરા પોલીસ દોડતી થઇ હતી, જોકે ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. (મંદિરમાં પૂજા કરી રહેલા ભક્તોની તસવીર)