Home » photogallery » surat » Surat Railway Station: સુરતના રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવવાની કામગીરી ચાલુ, 2027 સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્યાંક

Surat Railway Station: સુરતના રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવવાની કામગીરી ચાલુ, 2027 સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્યાંક

Surat Railway Station: સુરતનું રેલવે સ્ટેશન એક મલ્ટી-મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલ્વે સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. તેમાં સુરતનો પણ સમાવેશ થાય છે. ત્યારે આગામી 2027 સુધીમાં તમામ કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

विज्ञापन

  • 16

    Surat Railway Station: સુરતના રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવવાની કામગીરી ચાલુ, 2027 સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્યાંક

    સુરતનું રેલવે સ્ટેશનને એક મલ્ટી-મૉડલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. રેલવે, જીએસઆરટીસી સિટી બસ ટર્મિનલ સ્ટેશન અને મેટ્રોને એકિકૃત કરીને અવિરત કનેક્ટિવિટી આપવામાં આવશે. નવી પ્રતિષ્ઠિત સ્ટેશન બિલ્ડિંગ આર્થિક પ્રવૃત્તિઓની સાથે વ્યવસાય, વેપાર અને વાણિજ્યનું અધિકેન્દ્ર હશે.

    MORE
    GALLERIES

  • 26

    Surat Railway Station: સુરતના રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવવાની કામગીરી ચાલુ, 2027 સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્યાંક

    સુરત દેશના સૌથી વધુ ઝડપે વધતા શહરોમાંથી એક છે. આ આર્થિક ગતિવિધિઓની સાથે વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર છે. જ્યાં હંમેશા રોજગારીના અવસરોને પ્રોત્સાહન મળ્યું છે. પશ્ચિમ રેલવે દેશના વિવિધ ભાગો માટે કેટલીયે અહીંથી ચલાવવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 36

    Surat Railway Station: સુરતના રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવવાની કામગીરી ચાલુ, 2027 સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્યાંક

    દેશભરના પ્રમુખ સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ચાલી રહ્યું છે. ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલ્વે સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. દેશભરમાં 200થી વધુ રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યાં છે. સુરત સ્ટેશન પણ તેમાંથી એક છે, જેને તૈયાર કરવામાં આવશે અને જે ‘નવા ભારતનું નવું રેલવે સ્ટેશન’ બનવા માટે તૈયાર છે. 

    MORE
    GALLERIES

  • 46

    Surat Railway Station: સુરતના રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવવાની કામગીરી ચાલુ, 2027 સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્યાંક

    સુરત સ્ટેશનનો પુનઃવિકાસ શરૂ થઈ ગયો છે. સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા તેનું કામકાજ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના 462 કરોડ રૂપિયાના હિસ્સા સહિત 1475 કરોડ રૂપિયાની અંદાજીત ખર્ચથી આ સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા ચરણમાં 980 કરોડ રૂપિયાના કામ થશે. તેમાં રેલવેનો હિસ્સો 683 કરોડ રૂપિયા, જ્યારે ગુજરાત સરકારનો 297 કરોડ રૂપિયાનો ભાગ છે. 2027 સુધી કામ પૂર્ણ થવાનો લક્ષ્ય છે.  

    MORE
    GALLERIES

  • 56

    Surat Railway Station: સુરતના રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવવાની કામગીરી ચાલુ, 2027 સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્યાંક

    સુરત સ્ટેશનને એક મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબના રૂપે વિકસિત કરવામાં આવી રહ્યું છે. રેલવે, જીએસઆરટીસી સિટી બસ ટર્મિનલ સ્ટેશન, મેટ્રો વગેરેને એકિકૃત કરીને અવિરત કનેક્ટિવિટી મળી રહેશે. સુરત સ્ટેશનના વાસ્તુશિલ્પ પરિવેશને તે પ્રકારે ડિઝાઈન કરવામાં આવી રહ્યો છે. સમગ્ર સ્ટેશન સંકુલ આંતરરાષ્ટ્રીય સ્તરના વેપાર કેન્દ્રની જેમ દેખાય અને અનુભવાય છે.

    MORE
    GALLERIES

  • 66

    Surat Railway Station: સુરતના રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવવાની કામગીરી ચાલુ, 2027 સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્યાંક

    સુરતના રેલવે સ્ટેશનની પૂર્વ બાજુ રેલવે સ્ટેશન બિલ્ડિંગમાં ઈલેક્ટ્રીક કેબલ અને પાઈપલાઈન જેવી ઉપયોગિતાઓનું સ્થળાંતર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળે 164 મીટર લાંબી અને 87 મીટર પ્હોળી બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ કામગીરીને દોઢ વર્ષમાં પૂરી કરવાનું લક્ષ્ય છે. સ્ટેશન બિલ્ડિંગ પ્લેટિનમ રેટિંગનું ગ્રીન બિલ્ડિંગ હશે. સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા ટેકનિકથી પણ સજ્જ હશે.

    MORE
    GALLERIES