Home » photogallery » surat » સુરત અને ઓલપાડને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં ઉદ્ઘાટન ન થતા લોકોમાં રોષ

સુરત અને ઓલપાડને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં ઉદ્ઘાટન ન થતા લોકોમાં રોષ

Surat Bridge: સુરત અને ઓલપાડને જોડનારા સરોલી બ્રિજ બનીને તૈયાર હોવા છતાં તેના ઉદ્ઘાટન માટે રાહ જોવાઈ રહી છે. બીજી તરફ શહેરના મેયરે વહેલી તકે પ્રજા માટે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે તેવી વાત કરવામાં આવશે પરંતુ તેમણે ચોક્કસ તારીખ જણાવી નથી.

विज्ञापन

  • 15

    સુરત અને ઓલપાડને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં ઉદ્ઘાટન ન થતા લોકોમાં રોષ

    સુરતઃ ઓલપાડ અને સુરતને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં પણ બ્રિજનું ઉદઘાટન ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડાયમંડ સિટી અને સિલ્ક સિટીની સાથે સાથે સુરત બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. આવામાં સુરત શહેર ઓલપાડ તાલુકાને જોડતા સરોલી બ્રિજનું કામ 15 દિવસ પહેલા પૂર્ણ થઈ ચૂક્યું છે અને નાગરિકો તેના લોકાર્પણની રાહ જોઈને બેઠા છે. ઉદ્ઘાટન માટે મોટા નેતાઓ ન મળતા જુના બ્રિજ પરથી અવર-જવર કરી રહેલા હજારો લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    સુરત અને ઓલપાડને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં ઉદ્ઘાટન ન થતા લોકોમાં રોષ

    હાલ ઓલપાડ અને સુરતને જોડતો સરોલી બ્રિજ કાર્યરત છે પરંતુ ગત ચોમાસામાં આ બ્રિજ ખખડી ગયો હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, નવા બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં પણ બ્રિજને લોકો માટે ઉપયોગમાં નહીં લવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

    MORE
    GALLERIES

  • 35

    સુરત અને ઓલપાડને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં ઉદ્ઘાટન ન થતા લોકોમાં રોષ

    બ્રિજ બનીને તૈયાર હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા આ બ્રીજના ઉદઘાટનમાં રાજ્યના મુખ્યમંત્રીને બોલાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે, જોકે, ત્યાંથી ઉદ્ઘાટનની તારીખ નહીં ફાળવવામાં આવતા ભાણું તૈયાર છે પણ ખાનાર કોઈ ના હોય તેવો ઘાટ સર્જાયો છે.

    MORE
    GALLERIES

  • 45

    સુરત અને ઓલપાડને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં ઉદ્ઘાટન ન થતા લોકોમાં રોષ

    ઓલપાડના વિવિધ ગામોથી હજારો લોકો સુરત શહેરમાં રોજીરોટી મેળવવા આવતા હોય છે જેમને સવારે અને સાંજે પીક અવર્સમાં ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે.

    MORE
    GALLERIES

  • 55

    સુરત અને ઓલપાડને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં ઉદ્ઘાટન ન થતા લોકોમાં રોષ

    સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલાએ આ બ્રિજ નું લોકાર્પણ જલ્દી કરવામાં આવશે એવી બાહેધરી આપી છે, પરંતુ તેઓ પણ બ્રિજનું ઉદ્ઘાટન ક્યારે કરાશે તે અંગે ચોક્કસ તારીખ જણાવી નથી. સુરત મહાનગરપાલિકા જલદી ઉદ્ઘાટનનો નિર્ણય નહીં લે તો લોકોની માગણીઓ વચ્ચે મંજૂરી વગર જ તેનો ઉપયોગ કરવાનું શરુ કરી દેશે તેવી સ્થિતિ સર્જાઈ છે. 

    MORE
    GALLERIES