Home » photogallery » surat » સુરતમાં ચોકલેટનાં ગણપતિ દાદાનું દૂધમાં કરાયુ વિસર્જન, પ્રસાદ અનાથ આશ્રમનાં બાળકોમાં વહેંચાશે

સુરતમાં ચોકલેટનાં ગણપતિ દાદાનું દૂધમાં કરાયુ વિસર્જન, પ્રસાદ અનાથ આશ્રમનાં બાળકોમાં વહેંચાશે

ઘરના સભ્યોએ દૂધનો એક એક લોટો રેડીને ગણેશજીનું વિસર્જન કર્યું છે

विज्ञापन

  • 16

    સુરતમાં ચોકલેટનાં ગણપતિ દાદાનું દૂધમાં કરાયુ વિસર્જન, પ્રસાદ અનાથ આશ્રમનાં બાળકોમાં વહેંચાશે

    કિર્તેશ પટેલ, સુરત : આજે દેશભરમાં ગણપતિ બાપ્પાનું ભાવભક્તિ સાથે વિસર્જન (Ganesh Visarjan) કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરમાં (Surat) એક ઘરમાં 14 કિલો ચોકલેટનાં ગણપતિની (Chocolate Ganpati) પ્રતિમા બનાવવામાં આવી હતી. જેની સ્થાપના ગણેશ ચતુર્થીએ (Ganesh Chaturthi 2020) કરવામાં આવી અને આજે દૂઘમાં તેમનું વિસર્જન કરવામાં આવ્યું છે. કતારગામમાં રહેતા રોમાબેન પટેલે ચોકલેટના ગણેશજીની ઘરમાં જ સ્થાપ્ના કરી અને વિસર્જન કર્યું છે. ઘરના સભ્યોએ એક એક લોટો દૂધનો રેડીને ગણેશજીનું વિસર્જન કર્યું છે. ચોકલેટના શ્રીજીની પ્રતિમાનું દૂધમાં વિસર્જન કરીને પ્રસાદ ભાવિકો સાથે ગરીબ બાળકોને આપવામાં આવ્યો છે. રોમાબેન છેલ્લા 4 વર્ષથી ચોકલેટની પ્રતિમાની સ્થાપના કરે છે.

    MORE
    GALLERIES

  • 26

    સુરતમાં ચોકલેટનાં ગણપતિ દાદાનું દૂધમાં કરાયુ વિસર્જન, પ્રસાદ અનાથ આશ્રમનાં બાળકોમાં વહેંચાશે

    આવા વિસર્જન બાદ ધાર્મિક ભાવનાની સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવો આ પરિવારનો હેતુ હોય છે. ચોકલેટનાં બાપ્પાને 60 લિટર દૂધમાં વિસર્જિત કરી અનાથ આશ્રમમાં આપવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 36

    સુરતમાં ચોકલેટનાં ગણપતિ દાદાનું દૂધમાં કરાયુ વિસર્જન, પ્રસાદ અનાથ આશ્રમનાં બાળકોમાં વહેંચાશે

    રોમા પટેલે આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ ડિઝાઇનની ગણેશજીની ચોકલેટની પ્રતિમા બનાવું છું. ચોકલેટના ગણેશજીનું વિસર્જન દૂધમાં કરવાથી ચોકલેટ મિલ્કમાં ફેરવાઇ જાય છે. શ્રીજીની મૂર્તિ દૂધમાં વિસર્જીત કર્યા બાદ ચોકલેટ મિલ્ક બની ગયેલા મિશ્રણનો પ્રસાદ ભાવિકોનીસાથે સાથએ ગરીબ, અનાથ બાળકોમાં પ્રસાદ વહેંચી દેવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 46

    સુરતમાં ચોકલેટનાં ગણપતિ દાદાનું દૂધમાં કરાયુ વિસર્જન, પ્રસાદ અનાથ આશ્રમનાં બાળકોમાં વહેંચાશે

    તેમણે વધુમાં જણાવ્યું કે, આ પ્રતિમાને કોઇ એસી કે ફ્રિઝમાં રાખવામાં આવ્યા નથી. ગણપતિ બાપ્પાને અમે પંખાની નીચે જ રાખ્યા હતા. તો પણ એમની પ્રતિમાને કોઇ નુતસાન પહોંચ્યું નથી. આખી પ્રતિમા એડીબલ છે.

    MORE
    GALLERIES

  • 56

    સુરતમાં ચોકલેટનાં ગણપતિ દાદાનું દૂધમાં કરાયુ વિસર્જન, પ્રસાદ અનાથ આશ્રમનાં બાળકોમાં વહેંચાશે

    કતારગામમાં સુમુલ ડેરી પાસે શાંતિનિકેતનમાં રહેતા રોમા પટેલ છેલ્લા ચાર વર્ષથી ચોકલેટ મેકર છે. તેમણે બે દિવસની મહેનત કરી ચોકલેટમાંથી ગણપતિ બનાવ્યાં હતા.

    MORE
    GALLERIES

  • 66

    સુરતમાં ચોકલેટનાં ગણપતિ દાદાનું દૂધમાં કરાયુ વિસર્જન, પ્રસાદ અનાથ આશ્રમનાં બાળકોમાં વહેંચાશે

    રોમાબહેને 100 ટકા વેજીટેબલ ચોકલેટમાંથી 14 કિલોના 2 ફુટના ગણેશજીની પ્રતિમા બનાવી હતી. જે બનાવવા માટે ડાર્ક ચોકલેટ અને એડીબલ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગણપતિની પ્રતિમા પાઘડી, મોદક, કાનની બુટી, દાંત સહિતનું આર્ટવર્ક કરવામાં આવ્યું હતું. સુંઢનો પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES