કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના (Surat News) સતત આપઘાતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક આપઘાતની (suicide case) ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી જોકે આ વખતે આ પગાર સુરતના સચિન વિસ્તારમાં (surat sachin area) રહેતા અને ધોરણ 9માં અભ્યાસ (std 9 student) કરતો વિદ્યાર્થી સ્કૂલેથી આવ્યા બાદ પરિવાર સાથે બેસી ભોજન કર્યું અને પરિવાર કામે જતા આ વિદ્યાર્થીએ પોતાના ઘરે બારી ઉપર ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરેલ હાલતમાં મોડી સાંજે લાશ મળી આવી હતી. અભ્યાસમાં તેજ એવા વિદ્યાર્થીઓના આપઘાતના કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ જવા પામ્યું છે.
ઘટના અંગે વાત કરીએ તો સુરતમાં સચિન વિસ્તારમાં ધોરણ-9નો વિદ્યાર્થી ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે જોકે આ યુવાન સ્કૂલેથી આવ્યા બાદ પરિવાર સાથે બેસીને ભોજન કર્યું હતું. ને ભોજન કર્યા બાદ તેનો મોટો ભાઈ અને પિતા કામ પર જવા રવાના થયા બાદ આ યુવકે ગળાફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી હતી.
પરિવાર દીકરાના આપઘાતના આઘાતમાં સરી પડ્યું છે. મંગળવારની સાંજે કોલેજથી ઘરે આવ્યો હતો. ઉતકર્ષ ઘરમાં જ હતો પણ દરવાજો ખોલી રહ્યો ન હતો. આખરે હું પાછળની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરતા ઉતકર્ષ બારી સાથે ચાદર પર ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. આ જોઈ હું હેબતાઈ ગયો હતો. માસીને બૂમાબૂમ કરી બોલાવી નોકરી પર ગયેલા માતા-પિતાને જાણ કરી હતી.
આપઘાત પાછળ કોઈ કારણ જાણી શકાયું નથી. વધુમાં જણાવ્યું હતું કે ઉતકર્ષ અભ્યાસમાં સારો હતો. બપોરે શાળાએથી આવ્યા બાદ આખા પરિવારે સાથે બેસીને ભોજન કર્યું હતું. ત્યારબાદ પિતા કામ પર ચાલી ગયા હતા. હું કોલેજ જતો રહ્યો હતો. ઉતકર્ષ ઘરમાં એકલો જ હતો. પિતાનો લાડકો હતો. મિત્રો ક્રિકેટ રમવા એને ફોન કરતા હતા પરંતુ એ પહેલાં જ એનું મોત થયું હતું. ભાઈના આપઘાત પાછળ કોઈ કારણ જાણી શકાયું નથી. સચિન GIDC પોલીસ તપાસ કરી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)