કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેર (Surat Crime) જાણે ક્રાઈમ સીટી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે શહેરમાં છાશવારે હત્યાની (Murder) ઘટનાઓ સામે આવી રહી છે વધુ એક હત્યાની ઘટના વરાછા (Varacha Surat) વિસ્તારમાં બનવા પામી છે જેમાં કરિયાણાના વેપારીની 50 રૂપિયા ફાટેલી નોટ અને છુટ્ટાની લેતીદેતીમાં હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ ઘટનામાં પોલીસે (Surat Police) ગણતરીના કલાકોમાં જ એક આરોપીની ધરપકડ કરી છે પરંતુ વેપારીની હત્યાના પગલે પરિવારજનો રોષે ભરાઇને હત્યારાને ફાંસીની સજા આપવાની માંગ કરી છે અને જો ફાંસીની સજા નહીં મળે તો ભૂખ હડતાલ ઉપર ઉતરી જવાની ચીમકી ઉરચારી છે.
સુરત શહેરમાં ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે શહેરમાં હત્યા જીવલેણ હુમલો લૂંટફાટની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે હત્યાની વધુ એક ઘટના બનવા પામી છે સુરતના વરાછા વિસ્તારમાં કે જ્યાં માત્ર 50 રૂપિયાની ફાટેલી નોટ અને ફોટા રૂપિયાની લેતીદેતીમાં કરિયાણાના વેપારીને ઘાતકી હત્યા થતાં ઉહાપોહ મચી જવા પામ્યો છે.
ઘટના ની વિગતવાર વાત કરીએ તો વરાછા લંબે હનુમાન મંદિર ની સામે આવેલી પાટી ચાલ ખાતે નરસિંહ મંદિર પાસે રહેતો અમરદીપ હરિશ્ચંદ્ર ગુપ્તા પોતાના ઘર પાસે જ કરિયાણાની દુકાન ધરાવે છે રવિવારના રોજ ચાલમાં રહેતા જુબેર નામના યુવકે દુકાનમાં ઘૂસી 50 રૂપિયાની નોટ ફાટેલી હોય અને ફોટા લેવા માટે વેપારી સાથે તકરાર કરી હતી જેથી આ તકરારમાં ઉશ્કેરાઈ જઈને જુબેરે વેપારીને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી તેની ઘાતકી હત્યા નીપજાવી હતી.
જોકે બાદમાં હત્યારો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો અને વેપારીને બેભાન હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાં જ વરાછા પોલીસ મથકમાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરીને ગણતરીના જ કલાકોમાં હત્યારા જુબેરને ઝડપી પાડયો હતો.