કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) જેરીતે કોરોના મહામારી (Coronavirus) ફેલાઈ રહી છે અને તેના કારણે હોસ્પિટલમાં દર્દી માટે બેડ નથી આ ઉપરાંત સંક્રમિત દર્દીઓ સતત મરી રહ્યા છે. આવા સંજોગોમાં જો ગત વર્ષની જેમ લોકડાઉન થઈ જાય તો પોતે હેરાન થવાનો વારો આવે જેને લઈને પરપ્રાંતીયો સુરતથી પોતાના પરિવાર સાથે પોતાના વતન તરફ હિજરત શરૂ કરી છે. એક વર્ષ પહેલા કોરોના મહામારી વચ્ચે 90 દિવસનાં લોકડાઉનમાં પોતાની નોકરીઓ છૂટી જવા સાથે પોતાનાં સ્વજનોની ચિંતામાં શ્રમિકોએ વતનની (Migrant Worker) વાટ પકડી હતી તેમ જ આ વર્ષે ફરી તેઓ પરત ઘરે (Migration) જઈ રહ્યા છે.
જોકે, સુરતમાં પરપ્રાંતીયો સાથે લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ પણ રહે છે ત્યારે સૌરાષ્ટ્ર તરફ દિવસે જતી બસોમાં પણ સંખ્યા વધી છે. અહીંયા હીરા ઉદ્યોગમાં કામ કરતા કેટલાક રત્નકલાકારો પોતાના પરિવાર સાથે સંક્રમણની આ સ્થિતિમાં વતન તરફ ભણી છે. આ વખતે રોજગારી સાથે સંક્રમણની બીક મોટી છે. ત્યારે તંત્રનાં અથાક પ્રયાસો છતાં છાનાપગે પરપ્રાંતીયો વતન રવાના થઈ રહ્યા છે.