Home » photogallery » surat » Surat News: સુરતમાં આઇસ્ક્રીમ ભજીયા અને પાણીપુરીએ લોકોને ચસકો લગાડ્યો, હોંશેહોંશે લોકો ખાય છે!

Surat News: સુરતમાં આઇસ્ક્રીમ ભજીયા અને પાણીપુરીએ લોકોને ચસકો લગાડ્યો, હોંશેહોંશે લોકો ખાય છે!

Surat: એવી કહેવત છે કે, ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’. આ કહેવત પ્રમાણે જ સુરતવાસીઓ ખાણીપીણીના શોખીન હોય છે. અનેકવાર સુરત તેની અવનવી વાનગીઓને લઈને ચર્ચામાં આવતું હોય છે. ત્યારે એક એવી વિચિત્ર વાનગીને લઈને ફરી એકવાર સુરત ચર્ચામાં આવ્યું છે. આવો જોઈએ...

विज्ञापन

  • 17

    Surat News: સુરતમાં આઇસ્ક્રીમ ભજીયા અને પાણીપુરીએ લોકોને ચસકો લગાડ્યો, હોંશેહોંશે લોકો ખાય છે!

    કિર્તેશ પટેલ, સુરત: શિયાળાની સિઝન ચાલતી હોય ત્યારે લોકો ગરમાગરમ વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે સુરતમાં આઇસ્ક્રીમના ભજીયાને સુરતીઓને ચટકો લાગ્યો છે. તેટલું જ નહીં, આઇસ્ક્રીમની પાણીપુરી પણ લોકોને દાઢે વળગી છે.

    MORE
    GALLERIES

  • 27

    Surat News: સુરતમાં આઇસ્ક્રીમ ભજીયા અને પાણીપુરીએ લોકોને ચસકો લગાડ્યો, હોંશેહોંશે લોકો ખાય છે!

    કમ્ય્યુટર એન્જિનિયર કુંજલ ભટ્ટે સુરતમાં આ નવી વાનગીને લોકો સમક્ષ મૂકી છે. ખાણીપીણીના શોખીન એવા કુંજલે સુરતીઓને કંઈક નવું આપવાનું વિચાર્યું હતું અને તેમાંથી આઇસ્ક્રીમના ભજીયા અને પાણીપુરીનો વિચાર આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 37

    Surat News: સુરતમાં આઇસ્ક્રીમ ભજીયા અને પાણીપુરીએ લોકોને ચસકો લગાડ્યો, હોંશેહોંશે લોકો ખાય છે!

    કુંજલ ભટ્ટ હૈદરાબાદની એક ઇન્ટરનેશનલ કંપનીમાં સિનિયર આઇટી પોસ્ટ પર નોકરી કરતા હતા. ત્યારે આંખમાં આવેલી તકલીફને કારણે તેમને સર્જરી કરાવવાની જરૂર પડી હતી. તેને લઈને તેમણે સુરત આવવું પડ્યું હતું.

    MORE
    GALLERIES

  • 47

    Surat News: સુરતમાં આઇસ્ક્રીમ ભજીયા અને પાણીપુરીએ લોકોને ચસકો લગાડ્યો, હોંશેહોંશે લોકો ખાય છે!

    કુંજલે આ મામલે જણાવ્યુ હતુ કે, ‘મને અગાઉથી જ ખાવાનું બનાવવાનું અને લોકોને ખવડાવવાનો શોખ હતો અને હેલ્થ ઈશ્યૂના કારણે હૈદરાબાદથી નોકરી છોડીને સુરત આવી ગયો હતો અને અહીં રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે સંકળાઇ ગયો હતો. આઈસ્ક્રીમ ભજીયા, આઈસ્ક્રીમ વડાપાંવ, આઇસ્ક્રીમ પાણીપુરી અને ઈલેક્ટ્રિક શોક આઈસ્ક્રીમ પાણીપુરી અમે ખવડાવીએ છીએ.’

    MORE
    GALLERIES

  • 57

    Surat News: સુરતમાં આઇસ્ક્રીમ ભજીયા અને પાણીપુરીએ લોકોને ચસકો લગાડ્યો, હોંશેહોંશે લોકો ખાય છે!

    તેઓ વધુમાં જણાવે છે કે, ‘સુરતના લોકો ખાણીપીણીના શોખીન છે અને નવી વસ્તુઓ આવતાંની સાથે જે તેઓ આકર્ષિત થઈ જાય છે. ખાસ કરીને જે રીતે લોકો વડાપાંવ ખાય છે, તેમાં બટાકાનું સ્ટફ હોય છે તે જ રીતે આઈસ્ક્રીમમાં ભજીયામાં બટાકાની જગ્યાએ આઇસ્ક્રીમ મૂકવામાં આવે છે અને તેની ખાસિયત છે કે, આઇસ્ક્રીમ ઓગળતો નથી.’

    MORE
    GALLERIES

  • 67

    Surat News: સુરતમાં આઇસ્ક્રીમ ભજીયા અને પાણીપુરીએ લોકોને ચસકો લગાડ્યો, હોંશેહોંશે લોકો ખાય છે!

    કુંજલ પાણીપુરી બાબતે કહે છે કે, ‘બીજી બાજુ બટાકા અને રગડાની જગ્યાએ પાણીપુરીમાં અમે આઈસ્ક્રીમ મૂકીએ છીએ અને ખાસ આ આઈસ્ક્રીમ પાણીપુરી માટે પાણી તૈયાર કરવામાં આવે છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.’

    MORE
    GALLERIES

  • 77

    Surat News: સુરતમાં આઇસ્ક્રીમ ભજીયા અને પાણીપુરીએ લોકોને ચસકો લગાડ્યો, હોંશેહોંશે લોકો ખાય છે!

    આઇસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરીની મજા માણનાર દીપીએ જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધી છથી વધુ ફ્લેવરની પાણીપુરી ખાધી છે, પરંતુ પ્રથમવાર આઈસ્ક્રીમ પાણીપુરી ખાઈને મજા આવી ગઈ છે. આઇસ્ક્રીમ પાણીપુરીમાં ઠંડો, ગરમ, ખાટો, મીઠો તમામ પ્રકારના સ્વાદ આવે છે. હું પાણીપુરીની શોખીન છું. પરંતુ આજ દિન સુધી આવી પાણીપુરી ખાધી નથી. એટલું જ નહીં, આઈસ્ક્રીમ વડાપાંવ પણ ખાવાની મજા આવી ગઈ છે. ક્યારેય વિચાર્યું નહોતુ કે આઈસ્ક્રીમના પણ ભજીયા બનશે!’

    MORE
    GALLERIES