Home » photogallery » surat » Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

સલાબતપુરા વિસ્તારમાં આવેલા રાજરાજેશ્વરી શ્રી સપ્તશૃંગી દેવીના મંદિરમાં ખાસ મશાલ આરતીનું અનેરું મહત્વ છેભકતો માતાજીના દર્શન મહારાષ્ટ્રની શકિતપીઠ પૈકી કોલ્હાપુરના મહાલક્ષ્મી દેવી, તુળજાપુરના શ્રી તુળજાભવાનીદેવી અને માહુરગઢની શ્રી રેણુકામાતાના સ્વરૂપમાં કરશે

  • 111

    Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

    Surat:  ચૈત્રિ નવરાત્રીને લઈને માતાજીના મંદિરોમાં અલગ અલગ પ્રકારની ખાસ આરતી નો મહિમા હોય છે . જેનો લ્હાવો લેવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ત્યારે સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા રાજરાજેશ્વરી શ્રી સપ્તશૃંગી દેવીના મંદિરમાં ખાસ મશાલ આરતીનું અનેરું મહત્વ છે. આ મંદિરમાં માતાજીની આરતી ઘી ના દિવા થી નહીં પરંતુ સુતરાઉ કાપડ થી બનાવવામાં આવેલી ખાસ ગોળાકાર મશાલ દ્વારા કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 211

    Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

    હિન્દુ પંચાંગ અનુસાર એક વર્ષ દરમ્યાન ઉજવાતી ચાર નવરાત્રીમાં વર્ષની શરુઆત ચૈત્ર નવરાત્રી થી થાય છે . આ દરમિયાન શહેરભરના દરેક માતાજીના મંદિરોમાં અવનવી રીતે કરવામાં આવતી પરંપરાગત આરતીનો નજારો જોવા જેવો હોય છે.

    MORE
    GALLERIES

  • 311

    Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

    સામાન્ય રીતે આરતી ઘી ના દીવાની કરવામાં આવતી હોય છે પરંતુ સુરત શહેરના સલાબતપુરા રેશમવાદ ખાતે આવેલા સપ્તશ્રૃંગી માતાજીના મંદિરમાં આરતી મશાલ થી કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 411

    Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

    આધ્યાત્મિકતાનો અનુભવ કરે છે. અહીં ૩૬૫ દિવસ દરરોજ ૨ ક.શ્રી સૂક્ત અને પુરુષ સૂક્તના વેદ મંત્ર થી સવારે ૭ વાગ્યે અભિષેક મહાપુજા કર્યા બાદ દુર્ગા સપ્તશતી દેવી કવચના મંત્રીથી નખ શિક સિંદૂર લેપન કરવામાં આવે છે. ત્યારબાદ માતાજીની મશાલ આરતી કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 511

    Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

    મોટે ભાગે મશાલ આરતી પૂનમ અને પડવાના દિવસે કરવામાં આવે છે પરંતુ ચાર નવરાત્રીના નવ દિવસ પણ દરરોજ સવાર- સાંજ મશાલ આરતી થાય છે. આ મશાલ આરતીમાં મશાલમાં માત્ર કાપડનો જ ઉપયોગ થયો હોવા છતાં માતાજીના નામના જાપ સાથે કરવામાં આવતી હોવાને કારણે મશાલ ગરમ લાગતી નથી અને તેથી જ તે ભક્તોમાં ઘણી પ્રચલિત છે.

    MORE
    GALLERIES

  • 611

    Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

    મંદિરના પૂજારી લડડુ મહારાજે જણાવ્યું હતું કે, માતાજીનું પ્રાગટય સિંદૂરમાંથી થયું હોવાને કારણે તેમને દરરોજ સિંદૂર ચઢાવવામાં આવે છે અને તેની પ્રકૃતિ ગરમ હોવાથી માતાજીને ઠંડક આપવા માટે એટલે કે શાંત કરવા માટે ચંદન અને સુખડનો લાડુ માથા પર ચઢાવવામાં આવે છે અને તે સમયે ખાસ આ મશાલ આરતી કરવામાં આવે છે. મશાલ માત્ર સુતરાઉ કાપડથી બનાવવામાં આવે છે .

    MORE
    GALLERIES

  • 711

    Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

    ચૈત્ર સુદ પડવો (ગુડી પડવો) બુધવાર તા. ૨૨-૩-૨૦૨૩ થી ચૈત્ર સુદ પુનમ શુક્રવાર તા. ૫-૪-૨૦૨૩ સુધી રહેશે. આ દરમ્યાન ભકતો માતાજીના દર્શન મહારાષ્ટ્રની શકિતપીઠ પૈકી કોલ્હાપુરના મહાલક્ષ્મી દેવી, તુળજાપુરના શ્રી તુળજાભવાનીદેવી અને માહુરગઢની શ્રી રેણુકામાતાના સ્વરૂપમાં કરશે.

    MORE
    GALLERIES

  • 811

    Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

    મશાલની બનાવટ માતાજીનું નામ બોલતા કરી હોવાથી તે ઝડપથી સળગતી નથી અને હાથમાં ગરમ પણ લાગતી નથી. આ મંદિર સિવાય અન્ય કોઈ સ્થળે માતાજીની મશાલ આરતી થતી હોય તેવું અમારા ધ્યાને નથી.

    MORE
    GALLERIES

  • 911

    Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

    ચૈત્રિ નવરાત્રિના આ ઉત્સવ દરમ્યાન રોજે રોજ દેવીની પંચામૃત અભિષેક મહાપુજા, શૃંગાર, મશાલ આરતી, શ્રી સુકત પુજન, કુવારીકા પુજન, બટુક પુજન, ભૈરવ પુજન, સુવાસિની પુજન કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 1011

    Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

    હિન્દુ ધર્મમાં કેસરી અને લાલ એમ બન્ને કલરને ખૂબ પવિત્ર માનવામાં આવતી હોવાથી માતાજીના શૃંગારમાં કેસરી અને લાલ કલરનો શૃંગાર વધુ હોય છે. જેથી અહીં બનાવવામાં આવતી મશાલ પણ લાલ રંગના સુતરાઉ કાપડના ઉપયોગથી જ તૈયાર કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 1111

    Chaitra Navratri 2023: ગુજરાતનું અનોખું મંદિર, જ્યાં મશાલથી થાય છે માતાજીની આરતી: PHOTOS

    25 મીટર કાપડનો ઉપયોગ કરી એક મશાલ બનાવવામાં આવે છે. મળસકે 5:30 વાગ્યે , સવારે 9 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે એમ ત્રણ વાર 5 મિનિટ મશાલ આરતી કરવામાં આવે છે.આ ખાસ મશાલ બનાવવા માટે 2 - 2:15 મીટરના 11 સુતરાઉ કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરરોજ તેનો ઉપયોગ થતો હોવા છતાં 15 થી 17 દિવસ મશાલ સળગે છે. મશાલને પ્રજવલિત કરવા માટે ખાદ્ય તેલનો ઉપયોગ કરવામાં આવે છે .

    MORE
    GALLERIES