કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (27-10-2020 -Surat corona cases) સતત ઘટી રહ્યા છે, ત્યારે આજે વધુ 225 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં ઘટાડો થઈ રહ્યો છે. સુરતમાં 163 જયારે ગ્રામીણ વિસ્તારમાં 62 દર્દી નોંધાયા છે. જયારે આજે 1 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 999 પર પહોંચ્યો છે, તેવામાં આજે 258 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. પ્રતિકાત્મક તસવીર
લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 225 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 163 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 26141 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 62 કેસ સાથે દર્દી સંખ્યા 9870 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 36011 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 1 દર્દીનું કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 999 થયો છે. જેમાંથી 275 મૃત્યુ જિલ્લાના છે અને 724 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 193 જ્યારે જિલ્લામાં આજે 85 દર્દીને રજા આપતા, કુલ 258 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 32,977 થઈ છે, જેમાંથી 24248 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 8987 દર્દી છે. પ્રતિકાત્મક તસવીર