કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (2-11-2020 -Surat corona cases) સતત ઘટી રહ્યા છે, ત્યારે આજે વધુ 206 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં ઘટાડો થઈ રહ્યો છે. સુરતમાં 157 જયારે ગ્રામીણ વિસ્તારમાં 49 દર્દી નોંધાયા છે. જયારે આજે 1 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 1008 પર પહોંચ્યો છે, તેવામાં આજે 224 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 227 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 157 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 27123 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 49 કેસ સાથે દર્દી સંખ્યા 10199 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 37322 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 1 દર્દીનું કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 1008 થયો છે. જેમાંથી 277 મૃત્યુ જિલ્લાના છે અને 731 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 169 જ્યારે જિલ્લામાં આજે 55 દર્દીને રજા આપતા, કુલ 224 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 34,686 થઈ છે, જેમાંથી 25315 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 9371 દર્દી છે. પ્રતિકાત્મક તસવીર)
શહેરમાં ક્યા કેટલા કેસ : આજે સેન્ટ્રલ ઝોન 12 , વરાછા એ ઝોનમાં 15. વરાછા બી 13, રાંદેર ઝોનમાં 21, કતારગામ ઝોનમાં 24, લીબાયત ઝોનમાં 11, ઉધના ઝોનમાં 26 અને અથવા ઝોનમાં 35 કેસ નોંધાયા. આમ કુલ 157 કેસ શહેરમાં નોંધાયા છે. શહેરમાં અત્યારસુધીમાં સૌથી વધુ 5113 કસ અઠવા ઝોનમાં નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)