કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (13-10-2020 -Surat corona cases) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 254 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 169 જયારે ગ્રામીણ વિસ્તારમાં 79 દર્દી નોંધાયા છે. જયારે આજે 3 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 969 પર પહોંચ્યો છે, તેવામાં આજે 266 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 248 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 169 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 23771 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 79 કેસ સાથે દર્દી સંખ્યા 88909 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 32681 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 969 થયો છે. જેમાંથી 270 મૃત્યુ જિલ્લાના છે અને 699 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 181 જ્યારે જિલ્લામાં આજે 85 દર્દીને રજા આપતા, કુલ 266 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 29,515 થઈ છે, જેમાંથી 21751 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 7764 દર્દી છે.