કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (12-10-2020 -Surat corona cases) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 254 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 171 જયારે ગ્રામીણ વિસ્તારમાં 83 દર્દી નોંધાયા છે. જયારે આજે 3 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 966 પર પહોંચ્યો છે, તેવામાં આજે 287 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. પ્રતિકાત્મક તસવીર
લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 254 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 171 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 23602 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 83 કેસ સાથે દર્દી સંખ્યા 8830 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 32433 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 966 થયો છે. જેમાંથી 270 મૃત્યુ જિલ્લાના છે અને 696 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 182 જ્યારે જિલ્લામાં આજે 105 દર્દીને રજા આપતા, કુલ 2287 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 29,249 થઈ છે, જેમાંથી 21570 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 7679 દર્દી છે.