Virat Kohli: ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માની (Virat Kohli Rohit sharma) વચ્ચે કોઈ શીત યુદ્ધ છેડાઈ ગયું હોવાના અહેવાલ છે. ગઈકાલે રોહિત શર્માની ઈજાના (Rohit Sharma Injury Report) સમાચારો સામે આવ્યા બાદ રોહિત શર્માની સમગ્ર ટેસ્ટ પ્રવાસમાંથી (Rohit Sharma Ruled out of Test Team) બાદબાકી કરવામાં આવી છે ત્યારે સામા પક્ષે સાઉથ આફ્રિકા પ્રવાસમાં યોજાનારી સમગ્ર સીરિઝમાં વિરાટ કોહલી રમવા (Virat Kohli Set to skip ODI Series) માંગતો નથી. આ સ્થિતિને જોતા ટીમ ઈન્ડિયામાં તલવારો ખેંચાઈ ગઈ હોવાના અહેવાલો છે.
વિરાટ કોહલીની કેપ્ટનશીપ અંગે અગાઉથી મોટો વિવાદ થયો હતો. અહેવાલો હતા કે રોહિત શર્માને કેપ્ટન પદે જાહેર કર્યો તેના 48 કલાક પહેલાં બીસીસીઆઈ દ્વારા વિરાટ કોહલીને વનડે કેપ્ટનશીપ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. બોર્ડના નિર્ણયથી નારાજ કોહલીએ કદાચ સમગ્ર પ્રવાસ જ જતો કરી દેવાનું નક્કી કર્યુ હોય તેવું જણાઈ રહ્યુ છે.