સુનીલ ગાવસ્કરને વિશ્વનાથની બેટિંગ ખૂબ ગમતી. જ્યારે પણ તેઑને પૂછવામાં આવ્યું કે તે પોતાની અને વિશ્વનાથ વચ્ચે કોને વધુ સારો બેટ્સમેન માને છે, ત્યારે તે વિશ્વનાથનું નામ સૌથી પહેલા લેતા હતા. તેમણે કહ્યું હતું કે તેણે વિશ્વનાથ જેવો બેટ્સમેન તેમણે ક્યારેય જોયો નથી. તે તે ખતરનાક બોલ સરળતાથી રમી લેતો હતો, જેના પર બીજા બેટ્સમેન પોતાની વિકેટ ગુમાવી દેતા હતા. (AFP)
1981 મા, ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર એક કાર્યક્રમ દરમિયાન, સુનીલ ગાવસ્કરે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. ભારતીય સમુદાયના કાર્યક્રમમાં તેણે વિશ્વનાથ વિશે કહ્યું, તમે લોકો ક્રિકેટર ગુંડપ્પા વિશ્વનાથ વિશે જાણતા જ હશો. તે એક ખતરનાક વ્યક્તિ છે. એકવાર મેં તેને ઘરે બોલાવવાની ભૂલ કરી અને પરિણામ એ આવ્યું કે તે હવે અમારો જમાઈ છે. જો કે આવું તેમણે મજાકમાં કહ્યું હતું.(AFP)
સુનીલ ગાવસ્કરના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે 125 ટેસ્ટમાં 10122 રન બનાવ્યા હતા. તેમણે 34 સદી અને 45 અડધી સદી ફટકારી. તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ 236 રનની અણનમ રહી હતી. વનડેની વાત કરીએ તો સનીએ 108 મેચમાં 3092 રન બનાવ્યા છે. એક સદી અને 27 અડધી સદી ફટકારી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 25 હજારથી વધુ રન બનાવ્યા છે. (AFP)
73 વર્ષીય પૂર્વ ભારતીય કેપ્ટન ગુંડપ્પા વિશ્વનાથની કારકિર્દી પર નજર કરીએ તો તેમણે 91 ટેસ્ટમાં 6080 રન બનાવ્યા હતા. 14 સદી અને 35 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 222 રન હતો. તેણે 25 વનડેમાં 2 અડધી સદીની મદદથી 439 રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 44 સદીની મદદથી 17 હજારથી વધુ રન બનાવ્યા છે. (AFP)