Home » photogallery » રમતો » એક ઓવરમાં 7 છગ્ગા, છતાં ટીમ ઈન્ડિયાની બહાર, હવે IPLમાં 9 સિક્સર મારીને આપ્યો જવાબ

એક ઓવરમાં 7 છગ્ગા, છતાં ટીમ ઈન્ડિયાની બહાર, હવે IPLમાં 9 સિક્સર મારીને આપ્યો જવાબ

IPL 2023, Ruturaj Gaikwad: ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની ટીમનો મોટો સ્કોર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) સામે ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં હવે ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં ફરી સ્થાન મળશે કે કેમ તે અંગે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 19

    એક ઓવરમાં 7 છગ્ગા, છતાં ટીમ ઈન્ડિયાની બહાર, હવે IPLમાં 9 સિક્સર મારીને આપ્યો જવાબ

    અમદાવાદઃ ક્રિકેટ માટે ભારતના લોકો કેટલા ક્રેઝી છે તેનાથી કોઈ અજાણ નહીં હોય, પરંતુ જ્યારે કોઈ ખેલાડીના તોફાની પ્રદર્શન છતાં ટીમમાં સ્થાન ના મળે ત્યારે અનેક સવાલો ઉઠતા હોય છે. આવું જ ફરી એકવાર IPLની પહેલી મેચ બાદ ચર્ચાવાનું શરુ થઈ ગયું છે.

    MORE
    GALLERIES

  • 29

    એક ઓવરમાં 7 છગ્ગા, છતાં ટીમ ઈન્ડિયાની બહાર, હવે IPLમાં 9 સિક્સર મારીને આપ્યો જવાબ

    અમદાવાદથી IPL 2023ની શરુઆત થઈ છે, જેમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવી દીધું છે. પહેલા બેટિંગ કરીને ચેન્નાઈ સુપર કિંગ્સે શરુઆતમાં જ તરખાટ મચાવ્યો હતો પાછળથી વિકેટો ગુમાવતા બેટિંગ ધીમી પડી હતી. (AP)

    MORE
    GALLERIES

  • 39

    એક ઓવરમાં 7 છગ્ગા, છતાં ટીમ ઈન્ડિયાની બહાર, હવે IPLમાં 9 સિક્સર મારીને આપ્યો જવાબ

    પહેલી મેચમાં 4 વાર ચેમ્પિયન રહેલી CSKએ પ્રથમ બેટિંગ કરીને 187 રનનો લક્ષ્ય GT સામે મૂક્યો હતો. જેમાં ઋતુરાજ ગાયકવાડે તોફાની બેટિંગ કરી હતી, છતાં ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. (AP)

    MORE
    GALLERIES

  • 49

    એક ઓવરમાં 7 છગ્ગા, છતાં ટીમ ઈન્ડિયાની બહાર, હવે IPLમાં 9 સિક્સર મારીને આપ્યો જવાબ

    26 વર્ષના યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે 9 છગ્ગાની મદદથી 50 બોલમાં 92 રન બનાવ્યા હતા. જેમાં 4 ચોગ્ગાનો પણ સમાવેશ થાય છે. ઋતુરાજની સ્ટ્રાઈક રેટ 184 રહી હતી. તેણે આક્રામક અંદાજમાં 23 બોલમાં અડધીસદી પૂર્ણ કરી હતી. (AP)

    MORE
    GALLERIES

  • 59

    એક ઓવરમાં 7 છગ્ગા, છતાં ટીમ ઈન્ડિયાની બહાર, હવે IPLમાં 9 સિક્સર મારીને આપ્યો જવાબ

    ઋતુરાજે અડધીસદી પૂર્ણ કરી ત્યાં સુધીમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે 42 રન માત્ર બાઉન્ડ્રીથી જ બનાવ્યા હતા. CSKના 100 રન માત્ર 11 ઓવરમાં જ થઈ ગયા હતા. જોકે, ટીમ અંતિમ ઓવરમાં ધીમી પડી હતી. ઋતુરાજે લિસ્ટ A ટુર્નામેન્ટ વિજય હજારેમાં એક જ ઓવરમાં 7 છગ્ગા લગાવ્યા હતા. જોકે, આ પછી પણ તેને ટીમમાં જગ્યા નહોતી મળી. (PTI)

    MORE
    GALLERIES

  • 69

    એક ઓવરમાં 7 છગ્ગા, છતાં ટીમ ઈન્ડિયાની બહાર, હવે IPLમાં 9 સિક્સર મારીને આપ્યો જવાબ

    મહારાષ્ટ્ર તરફથી રમતા ઋતુરાજ ગાયકવાડે ડાબોડી સ્પિનર શિવા સિંહની ઓવરમાં 7 છગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં શિવાએ એક નો બોલ નાખ્યો હતો. મેચમાં ઋતુરાજે 159 બોલમાં અણનમ રહીને 220 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગાનો સમાવેશ થાય છે. (AP)

    MORE
    GALLERIES

  • 79

    એક ઓવરમાં 7 છગ્ગા, છતાં ટીમ ઈન્ડિયાની બહાર, હવે IPLમાં 9 સિક્સર મારીને આપ્યો જવાબ

    ઋતુરાજ ગાયકવાડની આ IPLની ચોથી સીઝન છે, તેણે અત્યાર સુધીમાં 37 મેચમાં એક સદી અને 11 અડધી સદી સાથે કુલ 1299 રન બનાવ્યા છે. જેનાથી ઋતુરાજની તાબડતોબ બેટિંગનો અંદાજ આવે છે. 2020માં તેણે 6 204 રન બનાવ્યા હતા, જ્યારે 2021માં 16 મેચમાં 635 રન અને 2022માં 14 મેચમાં 368 રન બનાવ્યા હતા. આજ રીતે તે આ સિઝનને પણ યાદગાર બનાવવા ઈચ્છશે. (AP)

    MORE
    GALLERIES

  • 89

    એક ઓવરમાં 7 છગ્ગા, છતાં ટીમ ઈન્ડિયાની બહાર, હવે IPLમાં 9 સિક્સર મારીને આપ્યો જવાબ

    IPLમાં તાબડતોબ બેટિંગ બાદ ઋતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી, પરંતુ તે અહીં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે 9 T20માં 17ની એવરેજથી 135 રન જ બનાવ્યા હતા, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે એક વનડેમાં 19 રન બનાવ્યા છે. આમ તે IPLની આ સીઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયામાં કમબેક કરી શકે છે. (PTI)

    MORE
    GALLERIES

  • 99

    એક ઓવરમાં 7 છગ્ગા, છતાં ટીમ ઈન્ડિયાની બહાર, હવે IPLમાં 9 સિક્સર મારીને આપ્યો જવાબ

    ઓવરઓલ T20 રેકોર્ડની વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડે ગુજરાત ટાઈટન્સની સામે થયેલી મેચ પહેલા 91 મેચમાં 36ની એવરેજ સાથે 2928 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 21 અડધી સદીનો સમાવેશ થાય છે. ઋતુરાજની સ્ટ્રાઈકરેટ 134ની છે. તેણે 100થી વધુ છગ્ગા પણ લગાવ્યા છે. (AP)

    MORE
    GALLERIES