વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે મળેલી હાર બાદથી મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસને લઈ અટકળો સતત ચાલી રહી છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ભલે હાલ સંન્યાસ લેવા વિશે ન વિચારતો હોય, પરંતુ એ વાતના પૂરા સંકેત મળવાના શરૂ થઈ ગયા છે કે હવે ધોનીની કારકિર્દી લગભગ ખતમ થઈ ચૂકી છે.
2/ 12
આ વખતના વર્લ્ડ કપમાં ધોનીની બેટિંગને લઈ ઘણી ટીકાઓ થઈ હતી. સેમીફાઇનલમાં જે રીતે ધોનીએ ધીમી ઇનિંગ રમી તેનાથી ધોનીની બેટિંગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ઈંગ્લેન્ડની સાથે રમાયેલી સેમીફાઇનલમાં ધોનીએ 31 બોલમાં 42 રન કર્યા હતા.
विज्ञापन
3/ 12
ધોનીએ ઇનિંગની શરૂઆત ઘણી ધીમી કરી હતી. તેણે છેલ્લી ઓવરમાં કેટલાક જોરદાર ફટકા માર્યા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.
4/ 12
અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રના હવાલાથી જણાવ્યું કે સમગ્ર વર્લ્ડ કપમાં ધોનીની ધીમી બેટિંગને જોતાં મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદ ટૂંક સમયમાં તેની સાથે વાત કરશે.
5/ 12
જોકે, તેઓએ ઈશારામાં એવો સંકેત આપી દીધો છે કે હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો છે.
विज्ञापन
6/ 12
રિપોર્ટમાં બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, અમે (બોર્ડ અધિકારી) એ વાતથી હેરાન છીએ કે ધોનીએ હજુ સુધી આવું કેમ નથી કર્યુ. રુષભ પંત જેવા યુવા ખેલાડી તેનું સ્થાન લેવાની રાહ જોઈ રહ્યા છે.
7/ 12
જેમ કે અમે વર્લ્ડ કપમાં જોયું ધોની હવે આક્રમક બેટિંગ નથી કરી શકતો. નંબર-6 કે 7 પર ઉતરવાં છતાંય તે સ્કોરબોર્ડને આગળ ધપાવવામાં સતત સંઘર્ષ કરી રહ્યો છે. જે ટીમ માટે નુકસાનકારક થઈ શકે છે.
8/ 12
તેઓએ જણાવ્યું કે ધોનીની ધીમી બેટિંગને જોતાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે ધોનીને બહાર કરવામાં આવ્યો છે.
विज्ञापन
9/ 12
તેઓએ કહ્યું કે મને લાગે છે કે 2020ની ટી-20 વર્લ્ડ કપમાં સિલેક્ટર્સ તેને ટીમમાં સામેલ કરશે. એવામાં એ યોગ્ય સમય છે કે ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી જાતે સંન્યાસ લઈ લે.
10/ 12
જોકે, આ પહેલા અહેવાલ આવ્યા હતા કે ધોની અને સિલેક્ટર્સની વચ્ચે વર્લ્ડ કપ બાદ સંન્યાસને લઈ કોઈ વાત નથી થઈ. તેઓએ કહ્યું કે, અમે તેનું ધ્યાન ભટકાવવા નથી માંગતા. અમે ઈચ્છતા હતા કે ધોની વર્લ્ડ કપ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરે.
11/ 12
પરંતુ હવે સમય આવી ગયો છે કે તેને કોઈ નિર્ણય લેવો જોઈએ. તેઓએ કહ્યું કે ધોનીની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાંસલ કરવા માટે હવે કંઈ નથી બચ્યું.
विज्ञापन
12/ 12
ધોનીને જે કંઈ પણ મેળવવાનું હતું તે મેળવી ચૂક્યો છે, તેથી તેણે નવા ખેલાડીઓને તક આપવી જોઈએ.