સુરતઃ નીતિ આયોગના ૨૦૧૮ ના અહેવાલ મુજબ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ જેવા ૨૧ શહેરો પાસે પોતાનું પીવાનું પાણી નથી, એટલું જ નહીં આજે અપૂરતા વરસાદના કારણે દેશનો ૪૦ ટકા હિસ્સો દુષ્કાળનો (Drought) સામનો કરી રહ્યો છે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં વધતી વસ્તીના કારણે પાણીની માંગ બમણી થઈ જશે. એક સર્વે મુજબ વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૭ વચ્ચે ભૂગર્ભજળના સ્તરમાં ૬૧ ટકાનો ઘટાડો થયો છે, ત્યારે પાણીની તંગી વચ્ચે આંધ્રપ્રદેશના (Andhra Pradesh) હૈદરાબાદની 'મૈત્રી એક્વાટેક' કંપનીએ એક એવું મશીન બનાવ્યું છે. જે હવામાંથી પાણી બનાવે છે. હાલ આ મશીન દુનિયાના ૨૭ દેશોમાં લોકોની પાણીની જરૂરિયાતને પૂરી કરી રહ્યું છે.
મેઘદૂત બ્રાન્ડનેમ હેઠળ પ્રખ્યાત આ એર વોટર જનરેટરમાં ૧ લિટર પાણી ઉત્પન્ન કરવાનો ખર્ચ માત્ર રૂ.૧.૫૦ થાય છે. સોલર પ્લેટ થકી સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે તો આ લાગત ઘટીને ૬૦ પૈસા થઈ જાય છે. વિજ્ઞાન મુજબ હાઈડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણી બને છે, ત્યારે મેક ઈન ઇન્ડિયા અંતર્ગત વિકસિત કરવામાં આવેલું આ મશીન હવાને પાણીમાં પરિવર્તિત કરી નાંખે છે, જ્યાં દુષ્કાળની સમસ્યા અને ભૂગર્ભ જળ સમાપ્ત થઈ ગયું હોય એવા વિસ્તારો માટે 'એર ટુ વોટર' મશીન આશીર્વાદરૂપ બન્યું છે.
સુરતમાં આયોજિત 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન' નેશનલ સમીટમાં હવામાંથી પાણી બનાવતું 'એર ટુ વોટર' પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહીં, સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ મશીન સ્માર્ટ સમીટના સ્થળે પણ ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેની મદદથી મહેમાનો, આમંત્રિતો માટે બે દિવસમાં ૨૯૪૬ લીટર પીવાનું શુદ્ધ પાણી જનરેટ કરી ચૂક્યું છે, આ શુદ્ધ પાણીને મુલાકાતીઓ અને આંધ્રપ્રદેશના હૈદરાબાદની કંપની મૈત્રી એક્વાટેક કંપનીએ કંપનીના સી.ઈ.ઓશ્રી નવીન માથુરે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ આજે પીવાના શુદ્ધ પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે.
જેને હલ કરવાં માટે એર વોટર જનરેટર બનાવ્યું છે. કોઈ એક પરિવાર, શાળા-કોલેજ, કંપની કે મોટા બિલ્ડીંગ માટે ફ્રિજના કદથી શરૂ કરી ક્ષમતા પ્રમાણે અમે એક ટ્રક જેટલી સાઈઝના મશીન નિર્માણ કરીએ છીએ. ૬ થી ૮ સભ્યોના પરિવાર માટે ફ્રીઝના કદનું આ મશીન દૈનિક પ્રતિ દિન ૪૦ લિટર પાણી હવામાંથી બનાવે છે. જેની કિંમત રૂ.૭૫ હજાર છે. આ મશીનનું આયુષ્ય ૧૫ વર્ષનું છે. એક દિવસમાં ૫૦૦૦ લિટર પાણી ઉત્પાદિત કરતાં જનરેટરનું પણ અમે નિર્માણ કરીએ છીએ.
રણ વિસ્તારો, દુર્ગમ પહાડી વિસ્તારો, સેનાના જવાનોના ફરજના સ્થળે તેમણે વધુંમાં કહ્યું કે, સ્માર્ટ સિટીમાં એવા જીવનની કલ્પના કરવામાં આવી છે, જેમાં નવા વિકાસઆયામો અને પ્રકલ્પો દ્વારા માનવજીવનની હાડમારીઓ દૂર કરી શકાય અને માનવીને સુવિધાજનક જીવનશૈલી પ્રદાન કરી શકાય. આ મશીન સ્માર્ટ સિટીની વિભાવનાને અનુસરે છે.
કંપનીના સ્થાપકશ્રી રામક્રિષ્ના દ્વારા આવિષ્કાર થયેલું આ જનરેટર યુ.એન.ગ્લોબલ કાઉન્સિલ અને FSSAI દ્વારા પ્રમાણિત છે. ભારતીય રેલવે વિભાગને પણ આ ટેકનોલોજી આરોગ્ય અને પર્યાવરણ માટે અનુકૂળ જણાતાં દેશના ઘણાં સ્ટેશનો પર 'મેઘદૂત' મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યાં છે. મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલાએ પણ આ કંપનીના સ્ટોલની મુલાકાત લઈને આ ટેકનોલોજી અંગે જાણીને પ્રભાવિત થયાં હતાં.
ઈકોફ્રેન્ડલી એવું આ મશીન અવાજ કરતું નથી. તે પાણીના અન્ય કોઇ પણ સ્ત્રોત પર નિર્ભર નથી, પણ સ્માર્ટ ટેકનોલોજી વડે હવામાંથી જ શુદ્ધ પાણી બનાવી લે છે. દરરોજ ૨૦૦૦ લીટર પાણી બનાવી શકાય છે. આ કંપની જરૂરિયાત મુજબ ૨૦૦૦ લીટરથી પણ વધુ ક્ષમતાના મશીનોનું ઉત્પાદન કરવાં માટે સક્ષમ છે. તે દરેક મોસમમાં કાર્યરત રહી શકે છે અને કોઇપણ જાતનો કચરો પેદા થતો નથી.