કિર્તેશ પટેલ, સુરત : ગોડાદરામાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. યુવકને કોટુંબિક જીજાએ ઉજ્જૈનની યુવતી સાથે લગ્ન કરાવી લગ્નના ખચના ર્. 2.40 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. લગ્નના એક મહિના બાદ દુલ્હન સહિતની ઠગ ટોળકી ગાયબ થઇ જતા મામલો પોલીસમાં પહોચ્યો હતો. ગોડાદરામાં ઉમિયાનગર ખાતે રહેતા સુનિલ ગિરિશંકર વૈષ્ણવ નિયોલ ગામમાં એમેઝોન કંપનીના વેરહાઉસમાં ઓપરેટર છે. પ્રતિકાત્મક તસવીર
કિર્તેશ પટેલ, સુરત : ગોડાદરામાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. યુવકને કોટુંબિક જીજાએ ઉજ્જૈનની યુવતી સાથે લગ્ન કરાવી લગ્નના ખચના ર્. 2.40 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. લગ્નના એક મહિના બાદ દુલ્હન સહિતની ઠગ ટોળકી ગાયબ થઇ જતા મામલો પોલીસમાં પહોચ્યો હતો. ગોડાદરામાં ઉમિયાનગર ખાતે રહેતા સુનિલ ગિરિશંકર વૈષ્ણવ નિયોલ ગામમાં એમેઝોન કંપનીના વેરહાઉસમાં ઓપરેટર છે.
જીજાના મિત્ર છોટુજીએ જણાવ્યું કે શિવાનીના પિતા ગુજરી ગયા છે. તેઓ ગરીબ પરિસ્થિતિના છે, છોકરીના પરિવારને અઢી લાખ લગ્નની ખરીદી માટે આપવા પડશે” એવી વાત કરતા સુનિલે પોતાના બેક અએકાઉન્ટમાંઘી સાળા વિજય દેવીલાલના બેક એકાઉન્ટમાં 2.40 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સુનિલ શિવાની સુનિલના જીજા શિવજી છોટુજી વગેરે ઉજ્જૈનના એક મદિરમા લગ્ન કરવા ગયા હતા.
24-1-21ના રોજ શિવાનીની માતા સુરમાબાઇ ઉર્કે લટ્મી તથા અન્ય બે મહિલા શિવાનીને તેડવા આવી હતી પાંચ દિવસ પછી શિવાનીને પરત લઇ જજો એમ કહી તેઓ શિવાનીને લઇ ગયા હતા. પાંય દિવસ બાદ સુનિલે શિવાનીને કોલ કર્યો તો તેણી ફોન રિસીવ કરતી ન હતી માતાને કોલ કર્યો તેમી શિવાની બીમાર છે એવું રટણ કરતી હતી. શંકા જતા 4-2-21ના રોજ સુનિલ ઇન્દોર તપાસ કરવા જતા તેઓ ત્યા ઘરે મળ્યા ન હતા.