Home » photogallery » south-gujarat » સુરતમાં ભારત બંધની અસર નહિવત, અનેક કૉંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત

સુરતમાં ભારત બંધની અસર નહિવત, અનેક કૉંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત

વરાછા મિની બજાર પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યું છે. ત્યારે ભારત બંધના એલાનના પગલે સુરત નાના વરાછા અને માનગઢ ચોક ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

विज्ञापन

  • 15

    સુરતમાં ભારત બંધની અસર નહિવત, અનેક કૉંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત

    કિર્તેશ પટેલ, સુરત : ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા તેર દિવસોથી વિરોધ પ્રદર્શનો કરા રહ્યા છે. જેમાં આજે ભારત બંધનુ એલાન જાહેર કરવામાં આવ્યું હતું તેને સુરતના ઉધના વિસ્તારમાં વરાછા માનગઢ ચોક અને સુરત એપીએમસી માર્કેટ ખાતે કૉંગ્રેસ દ્વારા તેમજ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેને લઇને પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની તેમજ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 25

    સુરતમાં ભારત બંધની અસર નહિવત, અનેક કૉંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત

    કૃષિ કાયદાને લઈને છેલ્લા 13 દિવસથી દેશભરમાં ખેડૂતોની આંદોલન ચાલી રહ્યું છે જેમાં આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ચાર રાજ્યોના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજે પણ ટેકો જાહેર કર્યો હતો. સાથે જ  ટેક્સ્ટાઇલ ટ્રાન્સપોર્ટ અને લેબરના ત્રણ યુનિયનોએ પણ ટેકો આપતા એક દિવસ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    સુરતમાં ભારત બંધની અસર નહિવત, અનેક કૉંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત

    આ ઉપરાંત સુરતના એપીએમસી માર્કેટ ખાતે પણ ખેડૂત અને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી. બંધના એલાનના પગલે સુરતમાં પોલીસનો કાફલો તેનાત કરી દેવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 45

    સુરતમાં ભારત બંધની અસર નહિવત, અનેક કૉંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત

    તો સાથે વરાછા મિની બજાર પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યું છે. ત્યારે ભારત બંધના એલાનના પગલે સુરત નાના વરાછા અને માનગઢ ચોક ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં મહિલા કાર્યકર્તાઓ પણ જોડાઈ હતી. જેથી પોલીસે કોંગ્રેસના કોર્પોરેટર મહિલાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

    MORE
    GALLERIES

  • 55

    સુરતમાં ભારત બંધની અસર નહિવત, અનેક કૉંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત

    ઉલ્લેખનીય છે કે, ભારત બંધના એલાનના પગલે મોડી સાંજે પોલીસે શહેરની શાંતિ ન ડહોળાઈ તે માટે 144ની કલમ લગાવી દીધી છે, આ ઉપરાંત સવારથી જ શહેરમાં ચક્કાજામને કારણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ભારત બંધને લઈ સિપી અજય તોમરે જણાવ્યું હતું કે, શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તેમજ અફવા ફેલાવનાર સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

    MORE
    GALLERIES