Home » photogallery » south-gujarat » નર્મદા: રાજપીપળામાં હોમ ક્વૉરન્ટીન થયેલા ઘરોમાં નિઃશુલ્ક ભોજન સેવા પહોંચાડે છે એક પરિવાર

નર્મદા: રાજપીપળામાં હોમ ક્વૉરન્ટીન થયેલા ઘરોમાં નિઃશુલ્ક ભોજન સેવા પહોંચાડે છે એક પરિવાર

આ પરિવાર પોતાની  ફોન સેવા 24 કલાક ચાલુ રાખે છે.  ઘણીવાર તો રાત્રે મોડા ફોન આવે તો પણ તેઓ રાત્રે જમવાનું બનાવીને પણ મોકલે છે.

  • 15

    નર્મદા: રાજપીપળામાં હોમ ક્વૉરન્ટીન થયેલા ઘરોમાં નિઃશુલ્ક ભોજન સેવા પહોંચાડે છે એક પરિવાર

    દિપક પટેલ, રાજપીપળા : હાલ ગુજરાતના દરેક વિસ્તારમાં કોરોનાનો કહેર વ્યાપી ગયો છે. ત્યારે આમાંથી નર્મદા જિલ્લાનું રાજપીપળા પણ બાકી નથી રહ્યું. રાજપીપળામાં પણ આખેઆખા પરિવારને કોરોના સંક્રમણ થતા હોમ આઇસોલેશનમાં રહેવાની ફરજ પડે છે. ત્યારે તેમને જમવાનું પહોંચાડવાનું ભગીરથ કામ એક પરિવાર કરી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    નર્મદા: રાજપીપળામાં હોમ ક્વૉરન્ટીન થયેલા ઘરોમાં નિઃશુલ્ક ભોજન સેવા પહોંચાડે છે એક પરિવાર

    જ્યારથી કોરોના શરૂ થયો છે ત્યારથી એક પરિવાર આખા રાજપીપલા શહેરમાં  જ્યાં પણ જરૂર હોય ત્યાં પોતના જ  વાહન મારફતે નિઃશુલ્ક ભોજન સેવા કરી રહ્યું છે. આ પરિવારની આ માનવીય  લોક સેવા  કાબિલે તારીફ કહી શકાય. રાજપીપળા સહિત જિલ્લામાં વધતા કોરોનાના કેસોમાં  દર્દીઓ હોમ ક્વૉરન્ટીન થયા છે. તેવા 250 દર્દીઓને સવાર-સાંજનું ભોજન આ પરિવાર દ્વારા આપવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 35

    નર્મદા: રાજપીપળામાં હોમ ક્વૉરન્ટીન થયેલા ઘરોમાં નિઃશુલ્ક ભોજન સેવા પહોંચાડે છે એક પરિવાર

    આ પરિવાર તમામ લોકોને જમાડ્યા બાદ  જ પરિવાર જમે છે. પરિવારના તમામ સદસ્યો ભેગા મળીને ભોજન બનાવે છે. આ પરિવાર ઉપર ફોન આવે ત્યાં આ પરિવાર પાર્સલ પહોંચતું  કરે છે

    MORE
    GALLERIES

  • 45

    નર્મદા: રાજપીપળામાં હોમ ક્વૉરન્ટીન થયેલા ઘરોમાં નિઃશુલ્ક ભોજન સેવા પહોંચાડે છે એક પરિવાર

    આ પરિવારે વોટ્સએપમાં મેસેજ મોકલ્યો હતો. જેના થકી  કોરોનાગ્રસ્ત પરિવારના લોકો  ભોજન માટેના ઘણાના ફોન આવે છે. એ દરેકનું સરનામું લઇ આ પરિવાર  જમવાનું પૂરું પાડે છે. જેમાં ગરમાગરમ દાળ ભાત શાક રોટલી કચુંબર જેવું શુદ્ધ સાત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે. આ પરિવારને કોઈ આર્થિક મદદ મળે કે ના મળે પરંતુ આ સેવા ચાલુ રાખી છે.

    MORE
    GALLERIES

  • 55

    નર્મદા: રાજપીપળામાં હોમ ક્વૉરન્ટીન થયેલા ઘરોમાં નિઃશુલ્ક ભોજન સેવા પહોંચાડે છે એક પરિવાર

    આ પરિવાર પોતાની  ફોન સેવા 24 કલાક ચાલુ રાખે છે.  ઘણીવાર તો રાત્રે મોડા ફોન આવે તો પણ તેઓ રાત્રે જમવાનું બનાવીને પણ મોકલે છે. આ ભોજન યજ્ઞની પ્રેરણા તેમને પોતાના પૂર્વજો પાસેથી મળી છે જેને હાલ કાર્યરત રાખી છે.

    MORE
    GALLERIES