પોલીસને જોઈને જ બુટલેગરોએ એમના પર હુમલો કરી, ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પીએસઆઈએ બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા બાદ બુટલેગરોને રોકવા કાર પાછળ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. જોકે ઘટનાસ્થળેથી અંધારૂ અને ખેતર હોવાથી બુટલેગર સહિત દમણના વિનોદ ભૈયાના ખેપિયાઓ ઘટના સ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
ઘટનાને પગલે સુરત રેન્જના ઇન્ચાર્જ આઇજીપી હરિકૃષ્ણ પટેલ સહિત સ્ટેટ વિજીલન્સના એસપી જ્યોતિ પટેલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સાથે જ સમગ્ર મામલે બે અલગ અલગ ગુનાઓ નોંધ્યા હતા. આ પ્રકરણમાં નવસારી પોલીસની નિષ્કાળજી સામે આવતા સુરત ગ્રામ્યના ડીવાયએસપી સીએમ જાડેજાને તપાસ સોંપાઈ છે. જ્યારે ગુનાના સંદર્ભે ડીવાયએસપી બીએસ મોરીને તપાસ સોંપવામાં આવી છે.