

દિપક પટેલ, નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam) 17 મી સપ્ટેમ્બર 2020 ના રોજ 138.68 મીટર પોતાની પૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો.17 મી સપ્ટેમ્બર 2020 ના રોજ પીએમ મોદીને (PM Narendra Modi) 70 માં જન્મદિવસે ગુજરાત સરકારે નર્મદા ડેમને સંપૂર્ણ ભરી જન્મદિવસની (Birthday) અનોખી ભેટ આપી છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ પોતાની 138.68 મીટર સુધી મહત્તમ સપાટી સુધી પહોંચ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમ વાર 100 % છલોછલ પૂર્ણ ભરાઈ ગયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પોતાની ઓફિસ માંથી નર્મદા નીરના ઈ-વધામણાં કર્યા હતા. જ્યારે ગુજરાત સરકારના નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના MD રાજીવ ગુપ્તા સહિત અન્ય અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પૂજા અર્ચના કરી નર્મદાના નીરના વધામણાં કર્યા હતા.


સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઈ નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે અને ઉપરવાસમાંથી આવનારી પાણી આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા ફરી પાછા ડેમના 23 દરવાજા 20 સેમી ખોલી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.


સરદાર સરોવર નર્મદા ડેમના RBPH 6 યુનિટી સતત ચાલુ કરાતા 42000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જ્યારે CHPHના 3 યુનિટી સતત ચાલુ કરાતા 13000 ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં છોડાઈ રહ્યું છે. ગુજરાત સરકારે નર્મદા બંધને મા રેવાના નીરથી 100% છલોછલ ભરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપી હતી.


પીએમ મોદીએ 17 સપ્ટેમ્બર 2017ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું, ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો.પીએમ મોદીના 70મા જન્મદિવસ 17મી સપ્ટેમ્બર 2020ના રોજ ડેમના લોકાર્પણને 3 વર્ષ પૂર્ણ થશે ત્યારે ડેમને 138.68 મીટર સુધી પૂર્ણ ભરાયો હતો.આમ નર્મદા ડેમ લોકાર્પણ થયા બાદ બીજી વખત સંપૂર્ણ ભરાયો છે.


ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનાનું ખાતમુર્હત તત્ત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે 5મી એપ્રિલ 1961ના રોજ કરવામાં આવ્યું હતું. આજે આ બંધના કામ ને શરુ થયે 57 વર્ષ પૂર્ણ થયા છે. હવે આજે 60 હજાર કરોડના ખર્ચ બાદ નર્મદા બંધ અધુરો હતો. ત્યારે 12014 વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનતાજ 17માં દિવસે બંધના દરવાજા મૂકવાની મંજૂરી મેળવી 12 જૂન 2014ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખાતમુહર્ત કર્યું હતું.


જે કામ પૂર્ણ થયા બાદ 17 મી સપ્ટેમ્બર 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરવાજા બંધ કરી નર્મદા મૈયાની પૂજા કરી જળ સપાટી વધારવાની મંજૂરી અપાવી હતી. ત્યાર પછી ચોમાસુ નબળું રહેતા પાણી ભરાયું નથી. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર ડેમ 138.68 મીટરે પહોંચ્યો હતો જેના વધામણાં થયા હતા.અને આજે એ અવસર.પુનઃ આવ્યો છે.