

દીપક પટેલ, નર્મદા : ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર (Sardar sarovar) છલોછલ ભરાઈ ગયો. આ સિઝન માં પ્રથમવાર ડેમ.સંપૂર્ણ ભરાયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 137.99મીટરે પહોંચી છે અને ગણતરીના કલાકમાં મહત્તમ 138મીટરે પહોંચવાની (Water level of sardar sarovar) તૈયારી છે, પરંતુ વિશાળ સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઈ નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે.


આ સીઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચ્યો છે ત્યારે ઉપરવાસમાંથી આવનારી પાણી આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે. સરદાર સરોવરમાં હાલ પાણીની આવક 55213 ક્યુસેક છે.


જ્યારે રિવર બેડ પાવર ના 6 યુનિટ સતત ચાલતા 54701 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. મુખ્ય કેનાલ માં13 500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે


હાલ સરદાર સરોવર માં પાણીનો જીવંત જથ્થો 5935 મિલીયન ક્યુબીક મીટર થયો છે.એટલે આમ ચોક્કસ કહી શકાય કે આવનારા બે વર્ષ માટે આ નર્મદા બંધ માંથી પાણી નો જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહિત જથ્થો છે.