

કેતન બારડોલી, ડાંગ : જિલ્લામાં ધર્માંતરણ કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા આદિવાસીઓને સમજાવી ફરી હિન્દૂ તરફ વાળવામાં હિન્દૂ ધર્મની રક્ષા અને પ્રચાર કરનારા સાધુસંતોને સફળતા મળી છે. શિવારી ગામે 12 જેટલા પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી ફરી હિન્દૂ બનતા તેમની હોમ હવન કરીને શુદ્ધિ કરણ કરી ઘર વાપસીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.


ડાંગ જિલ્લો 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતો પછાત જિલ્લોછે. જેમાં રહેતા લોકોને વર્ષોથી આર્થિક લાભ અને અન્ય પ્રલોભનો આપી ખ્રિસ્તી ધર્મ તરફ વાળવામાં આવે છે. જોકે, આવા અસંખ્ય લોકોને આત્મસ્ફુરણા થતાં તેઓ ડાંગ જિલ્લામાં રહીને સનાતન ધર્મનો પ્રચાર અને રક્ષા કરતા હેતલ દીદી અને યશોદા દીદીનો સંપર્ક કરી ફરી હિન્દૂ ધર્મ અપનાવી રહ્યા છે. દર વર્ષે આવા અનેક પરિવારો જે ખ્રિસ્તી ધર્મ છોડી ફરી સનાતન ધર્મને અપનાવવા માંગતા હોય તેઓ માટે પ્રથમ શુદ્ધિ કરણ પ્રક્રિયા કર્યા બાદ તેઓની ઘરવાપસીના કરવામાં આવે છે.


હાલમાં કોવિડ19ની ગાઈડલાઈન મુજબ સમૂહમાં આવા કાર્યક્રમો ન કરતા તબક્કાવાર ઘરવાપસીના કાર્યક્રમો કરવામાં આવે છે. ડાંગના શિવારીમાળ ખાતે આવેલ યશોદા દીદીના આશ્રમમાં આવા 12 યુગલોએ યજ્ઞકાર્યમાં ભાગ લઈ શુદ્ધિ કરણ કર્યું હતું.


ડાંગ જિલ્લામાં આદિવાસીઓ અન્ય ધર્મમાં જનાર લોકો પરત પોતાના સનાતન ધર્મમાં પરત ફર્યા છે. અન્ય લોકોની લાલચ કે પ્રલોભનથી પ્રેરાઈ તેઓ અન્ય ધર્મમાં જવા લાગ્યાં હતાં પરંતુ સાધ્વી યશોધા, અગ્નિવીર અને હરિ કથા કરનાર ભાઈઓ દ્વારા આ પરિવારને ઘર વાપસી કરવી વેદિક મંત્રો દ્વારા શુદ્ધિકરણ કરાવી સનાતન ધર્મ હિન્દૂ ધર્મમાં ઘર વાપસી કરાવી હતી.