Home » photogallery » south-gujarat » આનંદો: સાપુતારામાં બોટિંગ, ટેબલ પોઈન્ટ સહિતના તમામ પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકાયા

આનંદો: સાપુતારામાં બોટિંગ, ટેબલ પોઈન્ટ સહિતના તમામ પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકાયા

રાજ્યના ગિરિમથક એવા સાપુતારા ખાતે પ્રવાસન સ્થળોને ખુલ્લા મૂકવામાં આવતા પ્રવાસીઓમાં અનેરો આનંદ.

  • 17

    આનંદો: સાપુતારામાં બોટિંગ, ટેબલ પોઈન્ટ સહિતના તમામ પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકાયા

    ડાંગ: રાજ્યમાં હવે ધીમે ધીમે પ્રવાસનો સ્થળોને અનલોક (Unlock) અંતર્ગત ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. જોકે, આ માટે પ્રવાસીઓએ નક્કી કરેલી માર્ગદર્શિકા (Corona Guideline)નું પાલન કરવું ફરજિયાત છે. ગિરિમથક સાપુતારા (Tourist Destination Saputara)ખાતે અનલોક પાંચ અંતર્ગત પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. બોટિંગ, ટેબલ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ સહિત જોવાલાયક સ્થળોને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. સરકારી ગાઈડલાઇન પ્રમાણે આ પ્રવાસન સ્થળોને ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન સ્થળો ખોલી દેવામાં આવતા સહેલાણીઓમાં અનેરી ખુશી જોવા મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 27

    આનંદો: સાપુતારામાં બોટિંગ, ટેબલ પોઈન્ટ સહિતના તમામ પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકાયા

    આજથી એટલે કે સોમવારથી બોટિંગ સહિતના પ્રવાસન સ્થળો શરૂ કરતી દેવાતા પ્રથમ દિવસે જ સહેલાણીઓ બોટિંગ સહિતની મજા લેતા જોવા મળ્યા હતા. જોકે, સરકારના આદેશ પ્રમાણે તમામ સ્થળો ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન ફરજિયાત રહશે.

    MORE
    GALLERIES

  • 37

    આનંદો: સાપુતારામાં બોટિંગ, ટેબલ પોઈન્ટ સહિતના તમામ પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકાયા

    સાપુતારા ગુજરાતનું પ્રવાસન સ્થળ હોવાથી અહીં લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીં સરકાર તરફથી મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે, કોરોનને ગ્રહણને કારણે સાપુતારામાં તમામ પ્રવાસન સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 47

    આનંદો: સાપુતારામાં બોટિંગ, ટેબલ પોઈન્ટ સહિતના તમામ પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકાયા

    હવે જ્યારે તંત્ર તરફથી તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા કરવામાં આવ્યા છે ત્યારે સ્થાનિક યુવકોને રોજગારી મળશે તેવી આશા છે. બીજી તરફ અહીં આવતા પ્રવાસીઓ જો કોરોના ગાઇડલાઇનનું પાલન નહીં કરે તો કોરોનાનું સંક્રમણ વધવાનો પણ ખતરો રહેલો છે.

    MORE
    GALLERIES

  • 57

    આનંદો: સાપુતારામાં બોટિંગ, ટેબલ પોઈન્ટ સહિતના તમામ પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકાયા

    ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ડાંગ એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં કોરોનાને કારણે કોઈ મોત થયું નથી. ડાંગમાં અત્યાર સુધી કોરોનાના 94 કેસ નોંધાયેલા છે. જેમાંથી 65 લોકો સાજા થઈને પોતાના ઘરે પરત ગયા છે.

    MORE
    GALLERIES

  • 67

    આનંદો: સાપુતારામાં બોટિંગ, ટેબલ પોઈન્ટ સહિતના તમામ પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકાયા

    બીજી તરફ અત્યારસુધી કોરોનાના કહેરથી બચી ગયેલા જિલ્લામાં પ્રવાસીઓને કારણે સંક્રમણ ન વધે તે માટે તંત્ર પગલાં ભરી રહ્યું છે. આ માટે તંત્ર ઉપરાંત પ્રવાસી લોકો પણ એટલો જ સહકાર આપે તે જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 77

    આનંદો: સાપુતારામાં બોટિંગ, ટેબલ પોઈન્ટ સહિતના તમામ પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકાયા

    રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 38,00,469 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,23,337 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 1 લાખ 3 હજાર 775 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 3,322 લોકોનાં મોત થયા છે. રવિવાર સાંજ સુધી રાજ્યમાં 16,240 એક્ટિવ કેસ નોંધાયેલા છે.

    MORE
    GALLERIES