Home » photogallery » sabarkantha » સાબરકાંઠાના અનોખા ગામની અનોખી વાતો: આ ગામનું નામ ક્યારે Police ચોપડે નથી ચઢ્યું, એક પણ વ્યક્તિને વ્યસન નહીં

સાબરકાંઠાના અનોખા ગામની અનોખી વાતો: આ ગામનું નામ ક્યારે Police ચોપડે નથી ચઢ્યું, એક પણ વ્યક્તિને વ્યસન નહીં

સાબરકાંઠાના અનોખા આદર્શ ગામની અનોખી વાતો - આ ગામનું નામ ક્યારે Police ચોપડે નથી ચઢ્યું, એક પણ વ્યક્તિને વ્યસન નહીં ગામના દરેક ફળીયાના નામ જિલ્લાના નામે

  • 16

    સાબરકાંઠાના અનોખા ગામની અનોખી વાતો: આ ગામનું નામ ક્યારે Police ચોપડે નથી ચઢ્યું, એક પણ વ્યક્તિને વ્યસન નહીં

    ઈશાન પરમાર, સાબરકાંઠા : જીલ્લામાં એક એવુ ગામ છે, જે ગામનુ નામ ક્યારે પણ પોલીસના ચોપડે ચઢ્યું જ નથી. તો અહીં ક્યારેય નથી યોજાઈ કોઈપણ પ્રકારની ચુંટણી. તો જોઈએ એક આદર્શ ગામ કે જ્યા વ્યશન મુક્તિના પણ લીધા છે ગામ લોકોએ શપથ.

    MORE
    GALLERIES

  • 26

    સાબરકાંઠાના અનોખા ગામની અનોખી વાતો: આ ગામનું નામ ક્યારે Police ચોપડે નથી ચઢ્યું, એક પણ વ્યક્તિને વ્યસન નહીં

    તમને તો પહેલા આ ગામના ફળિયાના નામ જાણી નવાઈ લાગશે અહીં વિવિધ જીલ્લાઓના નામ પ્રમાણે ફળીયાના નામ છે. એક સાથે તમામ જીલ્લા એક ગામમાં ક્યાથી? અહીં નર્મદા, તાપી, બનાસકાંઠા, મહેસાણા જેવા 28 જેટલા જીલ્લાના નામના ગામમાં ફળીયા છે. અને આ છે સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના ભંડવાલ ગામની કહાની.

    MORE
    GALLERIES

  • 36

    સાબરકાંઠાના અનોખા ગામની અનોખી વાતો: આ ગામનું નામ ક્યારે Police ચોપડે નથી ચઢ્યું, એક પણ વ્યક્તિને વ્યસન નહીં

    આ જીલ્લા પર ફળીયાના નામ રાખવાનો વિચાર સરપંચને બાળકો માટે આવ્યો કારણ કે ગામના વડિલોથી લઈ બાળકો ગુજરાતના જીલ્લાના નામ યાદ રાખી શકે. જેમ સમગ્ર ગુજરાત એક જુથ બનીને રહે છે તેમ આ ગામના લોકો પણ એક જુથ બનીને રહે છે, ક્યારેય કોઈ લડાઈ કે ઝઘડ઼ા પણ થતા નથી.

    MORE
    GALLERIES

  • 46

    સાબરકાંઠાના અનોખા ગામની અનોખી વાતો: આ ગામનું નામ ક્યારે Police ચોપડે નથી ચઢ્યું, એક પણ વ્યક્તિને વ્યસન નહીં

    આ ગામની બીજી એક ખાસીયત એ પણ છે કે, અહીં જ્યારથી પંચાયત અને દુધ મંડળી અસ્થિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધી કોઈ ચૂંટણી યોજાઈ નથી. જીહાં, ગામના તમામ પ્રતિનિધીઓ સરપંચ કે ચેરમેન હોય કે ડિરેક્ટર હોય તમામ લોકોને ગામ લોકો સમરસ જ ચુંટે છે. ક્યારેય અહીં ઈલેક્શન પણ નથી યોજાયુ. તો ગામના તમામ યુવાનો અને વડિલો ખેતી અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે અને તમામ લોકો એક જુથ બનીને અને સંપીને રહે છે. ક્યારેય કોઈ અણબનાવ પણ જોવા મળતા નથી.

    MORE
    GALLERIES

  • 56

    સાબરકાંઠાના અનોખા ગામની અનોખી વાતો: આ ગામનું નામ ક્યારે Police ચોપડે નથી ચઢ્યું, એક પણ વ્યક્તિને વ્યસન નહીં

    વ્યસન મુક્તિ માચે સરકાર વિવિધ જાહેરાતો આપે છે છતા પણ યુવાનો મદિરા પાન, બીડી સીગારેટ અને તમાક સહિત મસાલાઓ ખાતા હોય છે અને પોતાનુ સ્વાસ્થ ખરાબ કરતા હોય છે, ત્યારે આ ગામમાં વ્યસન માટે પણ એક કડક નિયમ બનાવ્યો છે કે, કોઈ દુકાનદાર કોઈ તમાકુ કે બીડીનુ વેચાણ કરે તો તેને 50 હજાર દંડ તો કોઈ વ્યક્તિ વ્સસન કરતો ઝડપાઈ જાય તો તેને 10 હજારથી વધુનો દંડ કરવામાં આવે છે અને આ નિયમને લઈને ગામલોકો હાલમાં વ્યસન મુક્ત બન્યા છે અને કોઈ વ્યક્તિ હાલમાં વ્યસન પણ કરતુ નથી. તો લોકડાઉનમાં પણ ગામે સાથ આપ્યો હતો અને જેના કારણે હાલમા કોરોનાનો કેસ નથી તો ગામના તમામ લોકો સરપંચ દ્રારા બનાવવામાં આવતા નિયમનું પાલન પણ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 66

    સાબરકાંઠાના અનોખા ગામની અનોખી વાતો: આ ગામનું નામ ક્યારે Police ચોપડે નથી ચઢ્યું, એક પણ વ્યક્તિને વ્યસન નહીં

    આમ તો સાબરકાંઠા જીલ્લાના આ ગામે સમગ્ર ગુજરાતમાં એક અનોખો સંદેશ પાઠવ્યો છે કે, ગાંધીના ગુજરાતમાં તમામ લોકો એકજુથ બનીને વ્યસન મુક્ત બન્યા છે તેમ જો સમગ્ર ગુજરાત પણ આ રીતે વ્યસન મુક્ત બને તેવુ માની રહ્યા છે. તો આ ઉપરાંત ગામની એકતા પણ એવી છે કે જેને લઈને હજુ સુધી ગામનુ નામ પોલીસના ચોપડે પણ નોધાયુ નથી.

    MORE
    GALLERIES