Home » photogallery » sabarkantha » સાબરકાંઠા : પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી પતિએ લાશ કેનાલમાં ફેંકી દીધી, લગ્ન બાદ સંબંધ રાખવા કરતો હતો દબાણ

સાબરકાંઠા : પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી પતિએ લાશ કેનાલમાં ફેંકી દીધી, લગ્ન બાદ સંબંધ રાખવા કરતો હતો દબાણ

હાજીપુર પાસેથી મળેલા યુવાનની લાશનો ભેદ ઉકેલાયો, પ્રેમ પ્રકરણમાં યુવાનની થઈ હતી હત્યા, યુવતીના પતિ અને અન્ય બે ઇસમોએ કરી હતી હત્યા,

  • 16

    સાબરકાંઠા : પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી પતિએ લાશ કેનાલમાં ફેંકી દીધી, લગ્ન બાદ સંબંધ રાખવા કરતો હતો દબાણ

    ઈશાન પરમાર, સાબરકાંઠા : સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા હાજીપુર પાસેથી કેનાલમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરતા મરનાર યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવક યુવતીને તેના લગ્ન બાદ પણ પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો. આ ઘટનાની જાણ યુવતીએ તેના પતિને કરી દેતા યુવતીને પતિએ તેના ફોઈના દીકરા અને અન્ય એક યુવક સાથે મળી હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી.

    MORE
    GALLERIES

  • 26

    સાબરકાંઠા : પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી પતિએ લાશ કેનાલમાં ફેંકી દીધી, લગ્ન બાદ સંબંધ રાખવા કરતો હતો દબાણ

    બનાવની વિગત એવી છે કે ગત તારીખ 3 નવેમ્બરના રોજ હાજીપુરા પાસે આવેલી કેનાલમા સાબદરાણ ફેક્ટરીમાંથી ેક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. આ મામલે રેંજ આઇજી અને જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબીને તપાસનની સૂચના આપવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 36

    સાબરકાંઠા : પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી પતિએ લાશ કેનાલમાં ફેંકી દીધી, લગ્ન બાદ સંબંધ રાખવા કરતો હતો દબાણ

    દરમિયાન એલસીબીના પીએસઆઈ મુરીમા અને તેમની ટીમે પીઆઈ ચંપાવત, એસપી મંડલીક અને રેંજ આઈજી ચુડાસમાની સૂચનાના અન્વયે બાતમીદારો મારફતે તપાસ કરાવતા મૃતક જીતેન્દ્રસિંહ જસવંતસિંહ પરમાર સાગપુર તલોદનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. જેમાં પીએસઆઈ રાવ તથા એલસીબીની ટીમના એએસઆઈ નાથા ભાઈ રજુસિંહ તથા હેકો અમરતભાઈ તથા હેકો ધર્મેન્દ્રસિંહ, કલ્પેશ કુમાર, પોકો નિરીલ કુમાર, હર્ષ કુમાર, વિરેન્દ્રકુમાર, જશુભાઈ અને ગોપાલ ભાઈની ટીમ આ કેસ ઉકેલવા કામે લાગી હતી.

    MORE
    GALLERIES

  • 46

    સાબરકાંઠા : પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી પતિએ લાશ કેનાલમાં ફેંકી દીધી, લગ્ન બાદ સંબંધ રાખવા કરતો હતો દબાણ

    દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક યુવકનું મરણ પાણીમાં ડુબવાથી નથી થયું પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. દરમિયાન મૃતક જીતેન્દ્રસિંહને પ્રાંતિજના કિશનસિંહની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. દરમિયાન કિશનસિંહની પત્નીએ પૂર્વ પ્રેમીની કરતૂતો અંગે પતિને જાણ કરતા કિશનસિંહે પત્નીને મળવાના બહાને જીતેન્દ્રસિંહને બોલાવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 56

    સાબરકાંઠા : પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી પતિએ લાશ કેનાલમાં ફેંકી દીધી, લગ્ન બાદ સંબંધ રાખવા કરતો હતો દબાણ

    દરમિયાન કિશનસિંહે પત્ની પાસેથી ફોન કરી અને જીતેન્દ્રસિંહને અંબુજા ફેક્ટરી પાછળ આવેલ જંગલ જેવા વિસ્તારમાં તેની પત્નીને મળવા બોલાવ્યો હતો જ્યાં આવતાની સાથે જ તેણે બનેવી કાળુસિંહ મોતીસિંહ મકવાણા અને તેના ફોઇના દીકરા અજયસિંહ દિલુસિંહ મકવાણા સાથે મળી ગળેટૂંપો દઈ હત્યા કરી હતી.

    MORE
    GALLERIES

  • 66

    સાબરકાંઠા : પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી પતિએ લાશ કેનાલમાં ફેંકી દીધી, લગ્ન બાદ સંબંધ રાખવા કરતો હતો દબાણ


    હત્યા કર્યા બાદ જીતેન્દ્રસિંહની લાશને ઝીંઝવા કેનાલમાં નાખી દીધેલી હતી. જોકે, કાનૂના હાથ લાંબા હોય છે તેથી આરોપીઓ આ ઘટનામાં હત્યા બાદ બચી શક્યા નહોતા અને આખરે ઝડપાઈ ગયા હતા.

    MORE
    GALLERIES