Home » photogallery » sabarkantha » ઉત્તર ગુજરાતમાં કાજુના વાવેતરનો પ્રયોગ, છોડનું મફતમાં વિતરણ

ઉત્તર ગુજરાતમાં કાજુના વાવેતરનો પ્રયોગ, છોડનું મફતમાં વિતરણ

હિંમતનગર તાલુકાના દેરોલ પાસે આવેલા તિરુપતિ નેચરલ પાર્ક દ્વારા દેરોલ ગામના ખેડૂતોને મફત કાજુના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. કાજુ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં થયા છે.

  • 17

    ઉત્તર ગુજરાતમાં કાજુના વાવેતરનો પ્રયોગ, છોડનું મફતમાં વિતરણ

    ઈશાન પરમાર, સાબરકાંઠા : સુકા મેવાની માંગ ગુજરાતમાં વધુ છે. જોકે, રાજ્યમાં સુકા મેવાનું વાવેતર થતું નથી. પરંતુ માંગને ધ્યાનમાં રાખીને હવે ઉત્તર ગુજરાતમાં કાજુ જેવા સુકા મેવાના વાવેતરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ સફળ થતા ખેડૂતોને કાજુના છોડનું મફતમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. હિંમતનગર તાલુકાના દેરોલ પાસે આવેલા તિરુપતિ નેચરલ પાર્ક દ્વારા દેરોલ ગામના ખેડૂતોને મફત કાજુના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. કાજુ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં થયા છે.

    MORE
    GALLERIES

  • 27

    ઉત્તર ગુજરાતમાં કાજુના વાવેતરનો પ્રયોગ, છોડનું મફતમાં વિતરણ

    ઉત્તર ગુજરાતની આબોહવા કાજુની ખેતી માટે માફક આવી છે. જેને લઈને બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠામાં તિરુપતિ નેચરલ પાર્ક દ્વારા કાજુના છોડનું મફતમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ છોડ બજારમાં રૂ. 70 રૂપિયામાં મળે છે.

    MORE
    GALLERIES

  • 37

    ઉત્તર ગુજરાતમાં કાજુના વાવેતરનો પ્રયોગ, છોડનું મફતમાં વિતરણ

    તિરુપતિ નેચરલ પાર્કના સંચાલક જીતુભાઈ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, કાજુના 1000 છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે પાર્કમાં 4500 છોડ વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 10 હજાર છોડનુ વિતરણ અન્ય જીલ્લાઓમાં પણ કર્યુ છે.

    MORE
    GALLERIES

  • 47

    ઉત્તર ગુજરાતમાં કાજુના વાવેતરનો પ્રયોગ, છોડનું મફતમાં વિતરણ

    નોંધનીય છે કે ગુજરાતીઓ ખાવાના શોખીન છે. એમાં પણ શિયાળામાં બનાતા વિવિધ પાકોમાં સુકા મેવાનો ભરપૂર ઉપયોગ કરાય છે. જોકે, ઘણા ઓછા લોકોને ખબર છે કે સુકા મેવામાં સૌથી વધુ વપરાતા કાજુ વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 57

    ઉત્તર ગુજરાતમાં કાજુના વાવેતરનો પ્રયોગ, છોડનું મફતમાં વિતરણ

    ભારતમાં વપરાતા કાજુમાં 80 ટકા જેટલા કાજુ બહારથી આયાત કરવા પડે છે. જેમાંથી માત્ર 20 ટકા જ ઉત્પાદન દક્ષિણ ભારતમાં થાય છે. આજ કારણે મફત છોડ વિતરણ કરીને ખેડૂતોને આ 80% આયાતની ભરપાઈ કરવા પ્રોત્સાહિત કરાય છે.

    MORE
    GALLERIES

  • 67

    ઉત્તર ગુજરાતમાં કાજુના વાવેતરનો પ્રયોગ, છોડનું મફતમાં વિતરણ

    ઇન્ચાર્જ આર.એફ.ઓ એચ.એમ.ફુલેત્રાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આ એવો છોડ છે કે જેને પશુઓ ખાતા નથી. તેનાથી કોઈ રોગ પણ થતો નથી માટે વન વિભાગ પણ સહાય આપે છે. આ પાકથી ખેડૂતોને ચોક્કસ ફાયદો પણ થઈ શકે તેમ છે.

    MORE
    GALLERIES

  • 77

    ઉત્તર ગુજરાતમાં કાજુના વાવેતરનો પ્રયોગ, છોડનું મફતમાં વિતરણ

    ઉત્તર ગુજરાતની જમીનમાં કાજુનો પાક સફળ રીતે લેવાનો આ પ્રથમ પ્રયોગ છે. જો આ પ્રયોગ સફળ થશે તો કાજુ જેવા સુકા મેવા માટે અન્ય દેશો પર આધાર રાખવો નહીં પડે.

    MORE
    GALLERIES