Home » photogallery » rajkot » રાજકોટના આ નંદીનો ભાવ જાણીને આંખો થઇ જશે પહોળી, માલિકે ખરીદવા લેવી પડી લોન

રાજકોટના આ નંદીનો ભાવ જાણીને આંખો થઇ જશે પહોળી, માલિકે ખરીદવા લેવી પડી લોન

Rajkot news: આ નંદીના માધ્યમથી ગૌવંશના ઉત્પાદનમાં વાછરડી ઉત્પન્ન થશે તો તે રોગપ્રતિકારક શક્તિ અને વિવિધ પ્રકારની દૂધવાળી તૈયાર થશે. તેમાંથી પણ આગામી સમયમાં સારું વળતર મેળવી શકાશે.

  • 18

    રાજકોટના આ નંદીનો ભાવ જાણીને આંખો થઇ જશે પહોળી, માલિકે ખરીદવા લેવી પડી લોન

    હાર્દિક જોષી, રાજકોટઃ હાલ એક નંદીની ચર્ચા આખા રાજ્યમાં થઇ રહી છે. લોકોનો પોતાના માટે ઘર, ગાડી તે જમીનો ખરીદવામાં લાખો રુપિયા ખર્ચે છે. ત્યારે ગોંડલનાં એક વ્યક્તિએ લાખોનો નંદી ખરીદ્યો છે. જેના માટે તેમણે લોન પણ લીધી છે.

    MORE
    GALLERIES

  • 28

    રાજકોટના આ નંદીનો ભાવ જાણીને આંખો થઇ જશે પહોળી, માલિકે ખરીદવા લેવી પડી લોન

    આ અંગે ગીર ગૌજતન સંસ્થાના માલિક રમેશભાઈ રૂપારેલીયાએ જણાવ્યુ હતુ કે, ‘આ રજવાડી નંદી 42 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ મારું ઇન્વેસ્ટમેન્ટ છે. ગીર ગૌજતન સંસ્થાના માધ્યમથી સો જેટલા પરિવારને રોજગારી મળી રહી છે. તેનું કારણ છે સારી પ્રજાતિની ગાય. પરંતુ આ નંદી લેવાનું કારણ આ સંસ્થામાં રહેલી 250 જેટલી ગાયોને આગળના સમયમાં વાછરડા અને વાછરડીની ઉત્તમ ઓલાદ તૈયાર થાય. જેથી તેમની નસલના ભાવ સારા આવે. પાંચ વર્ષમાં આ નંદીની કિંમત કરતાં દસ ગણું વળતર મળી રહેશે તેવું પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે.’

    MORE
    GALLERIES

  • 38

    રાજકોટના આ નંદીનો ભાવ જાણીને આંખો થઇ જશે પહોળી, માલિકે ખરીદવા લેવી પડી લોન

    આ ગીર રુદ્ર નંદીની ખાસિયત એવી છે કે, ઉતમ પ્રકારના દેશી નસલનો હોવાની સાથે તેની વ્યાખ્યા વેદમાં પણ વર્ણવવામાં આવી છે. આ ઉપરાંત આ નંદીમાં માણસ કરતાં પણ સારા ગુણ-સંસ્કાર છે.

    MORE
    GALLERIES

  • 48

    રાજકોટના આ નંદીનો ભાવ જાણીને આંખો થઇ જશે પહોળી, માલિકે ખરીદવા લેવી પડી લોન

    આ નંદીથી આગામી સમયમાં ઉત્તમ ગૌવંશનું ઉત્પાદન થશે. તેમાં વાછરડા અને વાછરડી તૈયાર થશે.

    MORE
    GALLERIES

  • 58

    રાજકોટના આ નંદીનો ભાવ જાણીને આંખો થઇ જશે પહોળી, માલિકે ખરીદવા લેવી પડી લોન

    ગીર ગૌજતન સંસ્થાના માલિક રમેશભાઈએ આ સંસ્થા માટે 1100 જેટલી ગાયોનું હર્ટ બનાવવાનું પ્લાનિંગ કર્યુ છે. તેમજ વાછરડાને નંદી બનાવી લોકો ખરીદી કરી શકશે અને સારું વળતર મળશે. આ નંદીના માધ્યમથી ગૌવંશના ઉત્પાદનમાં વાછરડી ઉત્પન્ન થશે તો તે રોગપ્રતિકારક શક્તિ અને વિવિધ પ્રકારની દૂધવાળી તૈયાર થશે. તેમાંથી પણ આગામી સમયમાં સારું વળતર મેળવી શકાશે.

    MORE
    GALLERIES

  • 68

    રાજકોટના આ નંદીનો ભાવ જાણીને આંખો થઇ જશે પહોળી, માલિકે ખરીદવા લેવી પડી લોન

    આ નંદીને ગોળ, અડદ, મગ, મકાઈ, જુવારનું ભડકું તૈયાર કરી દરરોજ સવાર-સાંજ આપવામાં આવે છે. આ ઉપરાંત જેઠી મધ, અશ્વગંધા અને શતાવરી પાવડર, કાલમેંધ, સોડાબાયકાર્બાઇડ, સિંધાલૂણ મીઠું જેવા આર્યુવેદિક દ્રવ્યો પણ ખવડાવવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 78

    રાજકોટના આ નંદીનો ભાવ જાણીને આંખો થઇ જશે પહોળી, માલિકે ખરીદવા લેવી પડી લોન

    ગીર ગૌ જતન સંસ્થાના માલિક રમેશભાઈ રૂપારેલીયા આ 42 લાખ રૂપિયાનો રજવાડી નંદી તેમના મિત્ર પ્રભાતસિંહ ગાંગણા પાસેથી ખરીદ્યો છે. જેમના માટે રમેશભાઈ લોન પણ લીધી છે તેમજ આ નંદી પ્રથમ નજરમાં જ રમેશભાઈને ગમ્યો હતો ઉપરાંત નંદીની પણ જરૂરિયાત હોય જેથી આ નંદી ખરીદ્યો છે.

    MORE
    GALLERIES

  • 88

    રાજકોટના આ નંદીનો ભાવ જાણીને આંખો થઇ જશે પહોળી, માલિકે ખરીદવા લેવી પડી લોન

    આ નંદી ગીર નસલ મૂળ રજવાડા વખતમાં સૌરાષ્ટ્રમાં આવેલા ભાડવા રાજદરબાર સમયનો હોવાનું રમેશભાઈએ વધુ જણાવ્યું હતું. આ નસલની પેડેગરી રજીસ્ટર પણ છે. ત્યાર બાદ આ નસલ રમેશભાઈનાં મિત્ર પ્રભાતસિંહ ગાંગણા કેશોદ પાસેથી રમેશભાઈએ ખરીદ્યો છે.

    MORE
    GALLERIES