મુનાફ બકાલી, જેતપુરઃ વ્યાજખોરના ત્રાસથી (money lenders Harassment) ઘણા કુટુંબો બરબાદ થયા છે. અને ઘણા વેપારી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવીજ એક ઘટના બની રાજકોટ જિલ્લાના (Rajkot news) વીરપુરના પીઠડીયા ગામ (virpur pithdiya village) પાસે ત્યાં એક જસદણના વેપારીએ (Jasdan tredar suicide) આવીને ઝેરી ટીકડા ખાઈને પોતાનો જીવ આપી દીધો અને તેનું કુટુંબ નોધારું થઇ ગયું હતું. મૃતકે તોતિંગ વ્યાજના વિષ ચક્કરમાં ફસાઈને જીવ આપવા સાથે તેણે એક સુસાઇટ નોટમાં (suicide note) વ્યાજખોરો કેમ પરેશાન કરતા હતા તેની સિલસિલા બંધ કહાની લખી છે. (ડાબી બાજુ મૃતક ભીખુભાઈ, જમણી બાજુ ડાર્ક બ્લુ શર્ટમાં દીલીપ ચાવ)
શું છે ઘટના મૃતકે તેની સુસાઇટ નોટમાં શું લખ્યું છે: ગત રોજ રાજકોટ જિલ્લાના વીરપુર પાસેના પીઠડીયા ગામની સિમમાંથી એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો વધુ તપાસ કરતા તેણે ઝેરી ટીકડા ખાઈ ને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું હતું. મરનાર ભીખુભાઇના ખિસ્સામાંથી એક સુસાઇટ નોટ પણ મળી આવી હતી જેમાં તેણે શા માટે આત્મહત્યા કરી તેની વિગતો હતી કોના ત્રાસથી તેણે આત્મહત્યા કરી તે પણ લખ્યું છે. (મૃતકના ફોટો સાથે પુત્ર)
જસદણના રહેવાસી એવા ભીખાભાઇ મોલીયા નામના વ્યક્તિનો હતો અને તે જસદણમાં વેપારી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ધંધામાં થોડા પૈસાની જરૂર પડતા તેણે જસદણના જ દિલીપ ગોવિંદ ચાવ પાસેથી વ્યાજે રૂપિયા લીધા અને સામે તેણે તેને એક ચેક લખીને આપ્યો હતો. ભીખુભાઇએ વ્યાજખોર દિલીપ પાસેથી 3થી 4 વખત રૂપિયા લીધા હતા અને તેના બદલે તેણે તેને સામે ચેક પણ આપેલા હતા. (મૃતકનું ઘર)
3થી 4 વર્ષ પહેલા ભીખુભાઇએ દિલીપ ચાવ પાસેથી 4 લાખ રૂપિયા લીધા હતા અને સામે તેને દિલીપને એક કોરો ચેક પણ આપેલ હતો, મૃતક ભીખુભાઇએ આ તમામ રૂપિયા વ્યાજ સાથે પરત કરી ધીધા હતા આમ છતાં વ્યાજખોર દિલીપ ભીખુભાઇ ને સતત ડરાવતો અને ધમકાવતો અને ભીખુભાઇ એ તેની પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે તેવું કહી ને તે પરત આપવા માટે દબાણ કરતો હાતો, આટલા થી નહિ અટકેલ વ્યાજખોર દિલીપે ભીખુભાઇનો કોરો ચેક બેન્કમાં જમાકરાવીને બાઉન્સ કરાવ્યો હતો અને ફરીથી આ મુદ્દે તેને ભીખુભાઇને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું જે સહન ના થતા ભીખુભાઇ એ ઝેરી ટીકડા ખાઈ ને મોત ને વ્હાલું કર્યું હતું. (મૃતક ભીખુભાઈનો ફાઈલ ફોટો)
કોણ છે દિલીપ ચાવ, શું છે તેનો મુખ્ય ધંધો: દિલીપ ચાવ અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે દિલીપ જી. ચાવ એ જસદણના વિછિયા રોડ ઉપર રહે છે અને તેનો મુખ્ય ધંધો વ્યાજ વટાવ નો છે, દિલીપ પૈસાની જરૂરિયાત વાળા લોકો ને વ્યાજે પૈસા આપે છે અને તે પણ ખુબજ તોંતિગ વ્યાજ સાથે દિલીપનું વ્યાજ 5 %થી શરુ થઇને 10-15% સુધીનું હોય છે. જયારે કોઈ સામાન્ય વ્યક્તિ જો આ દિલીપના વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ જાય તો ક્યારેય બહાર નીકળી શકતો નથી. (દિલીપ ચાવનો ફાઈલ ફોટો)
માનવામાં આવે છે કે દિલીપ જયારે પૈસા વ્યાજે આપે ત્યારે વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ પાસેથી એક કોરો ચેક અને સાથે અનેક શરતો કરે છે, જેમાં સમયસર વ્યાજના પૈસા ન આપે તો પેનલ્ટી સહિતની શરતો હોય છે. જો વ્યક્તિ વ્યાજ આપવામાં એક દિવસ મોડું કરે તો તેવો એક દિવસની પેનલ્ટી 200 રૂપિયા જેટલી વસુલે છે. આ દિલીપ ભીખુભાઇ જેવા અનેક વ્યક્તિને વ્યાજના વિષ ચક્રમાં ફસાવીને બરબાદ કર્યા છે અને પોતે માલામાલ થઇ ગયો છે. તે એક ખાસ પદ્ધતીથી વ્યાજે પૈસા જેમાં તે એક બુક રાખે છે અને તેમાં તે રોજે રોજના પૈસા પણ વ્યાજે આપે છે જેનું વ્યાજ 10 %થી પણ વધારે હોય છે અને આવા વ્યાજ ના પૈસા તો નાના લોકો જ લે છે અને દિલીપ આવા લોકોને બેફામ વ્યાજથી લૂંટે છે. આવો છે દિલીપ ચાવ અને તેનો ધંધો તેના બેફામ વ્યાજખોરીના ચક્કરમાં ભીખુભાઇએ પોતાનો જીવ ગુમાવ્યો છે. (દિલીપ ચાવનો ફાઈલ ફોટો)