Home » photogallery » rajkot » ગુજરાતનાં આ ગામમાં મતદાન ન કરનાર પાસે વસૂલવામાં આવે છે દંડ

ગુજરાતનાં આ ગામમાં મતદાન ન કરનાર પાસે વસૂલવામાં આવે છે દંડ

35 વર્ષથી આ ગામમાં કોઇપણ પક્ષનાં રાજકારણીઓને મતદાન માટે પ્રચાર કરવાની મનાઇ છે.

विज्ञापन

  • 15

    ગુજરાતનાં આ ગામમાં મતદાન ન કરનાર પાસે વસૂલવામાં આવે છે દંડ

    રાજ્યમાં લોકસભાની ચૂંટણીનાં પ્રચારનાં પડઘમ આજે શાંત થઇ જશે. ત્યારે આપણે રાજ્યનાં એક એવા ગામની વાત કરીશું કે જ્યાં મતદાન ન કરો તો દંડ વસૂલવામાં આવે છે. આપણે વાત કરીએ છીએ રાજસમઢીયાળાની. આ ગામ રાજકોટથી 22 કિલોમીટરના અંતરે આવેલુ છે. 35 વર્ષથી આ ગામમાં કોઇપણ પક્ષનાં રાજકારણીઓને મતદાન માટે પ્રચાર કરવાની મનાઇ છે. તો પણ આ ગામમાં 90 ટકાથી વધારે મતદાન થાય છે. આ ગામને રાજ્યુનું આદર્શ અને સ્વચ્છ ગામ માનવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 25

    ગુજરાતનાં આ ગામમાં મતદાન ન કરનાર પાસે વસૂલવામાં આવે છે દંડ

    આ ગામની ખાસ વિશેષતા એ છે કે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે તમામ ગ્રામજનોને મતદાન કરવું ફરજિયાત છે. જો મતદાન ના કરે તો 51 રૂપિયાનો દંડ ભરવો પડે છે.

    MORE
    GALLERIES

  • 35

    ગુજરાતનાં આ ગામમાં મતદાન ન કરનાર પાસે વસૂલવામાં આવે છે દંડ

    આ આદર્શ ગામમાં પાકા રસ્તા, વીજળી, પાણી માટે આર ઓ પ્લાન્ટ, સ્કૂલ, હોસ્પિટલ, ક્રિકેટ સ્ટેડિયમ,સીસીટીવી, સોલર પ્લાન્ટ અને વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ છે.

    MORE
    GALLERIES

  • 45

    ગુજરાતનાં આ ગામમાં મતદાન ન કરનાર પાસે વસૂલવામાં આવે છે દંડ

    જો કે આ ગામમાં ખુલ્લામાં કચરો ફેંકવા, થૂંકવા પર, સરકારી સંપતિને નુકસાન પહોંચાડવા પર અને ગામના નવયુવાનોને કામ વગર બેસવા પર પણ મનાઈ છે. ખાસ તો એ કે આ ગામમાં સૌથી વધુ નિર્ણયો લોક અદાલત થકી પતાવવામાં આવે છે. આવી વિશેષ ખૂબીઓવાળા આ ગામને કેટલાંય સન્માન મળ્યાં છે.

    MORE
    GALLERIES

  • 55

    ગુજરાતનાં આ ગામમાં મતદાન ન કરનાર પાસે વસૂલવામાં આવે છે દંડ

    રાજસમઢીયાળા ગ્રામ પંચાયતની વિકાસ સમિતિના ચેરમેન હરદેવસિંહ જાડેજા ગામને અમે સારા સામાજિક પ્રયોગોની એક પ્રયોગશાળા માને છે.

    MORE
    GALLERIES