Home » photogallery » rajkot » રાજકોટ : પિતાએ ઠપકો આપતાં પુત્રીએ કર્યું અગ્નિ સ્નાન, એકની એક દીકરી ગુમાવતા પરિવાર માથે વજ્રાઘાત

રાજકોટ : પિતાએ ઠપકો આપતાં પુત્રીએ કર્યું અગ્નિ સ્નાન, એકની એક દીકરી ગુમાવતા પરિવાર માથે વજ્રાઘાત

Rajkot News : રાજકોટમાં ધો. 10માં અભ્યાસ કરતી કિશોરીએ પિતાના ઠપકાથી દુખી (Rajkot Daughter Burnt Self) થઈને અંતિમ પગલું ભર્યુ, રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પિતાનું સર્વસ્વ લૂંટાયું.

विज्ञापन

  • 15

    રાજકોટ : પિતાએ ઠપકો આપતાં પુત્રીએ કર્યું અગ્નિ સ્નાન, એકની એક દીકરી ગુમાવતા પરિવાર માથે વજ્રાઘાત

    અંકિત પોપટ, રાજકોટ :  રાજકોટ શહેરમાં (Rajkot Suicide) વધુ એક આપઘાત નો કિસ્સો સામે આવ્યો છે. દિન પ્રતિદિન રાજકોટ શહેરમાં આપઘાતના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં 17વર્ષીય (Teena Ager) સગીરાને તેના પિતાએ રાત્રે ઘરની બહાર બેસવાની ના પાડતા સગીરાએ અગ્નિસ્નાન (Daughter ablaze Her Self in Rajkot) કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે વ્હાલ સોયી દીકરીએ આત્મઘાતી પગલાંથી ચૌહાણ પરિવારમા શોકનું મોજુ ફરી વળ્યું છે. 

    MORE
    GALLERIES

  • 25

    રાજકોટ : પિતાએ ઠપકો આપતાં પુત્રીએ કર્યું અગ્નિ સ્નાન, એકની એક દીકરી ગુમાવતા પરિવાર માથે વજ્રાઘાત

    પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા આશાપુરા પાર્કમાં 17 વર્ષીય સગીરાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. રીક્ષા ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવનારા સંજય ભાઈ નારણભાઈ ચૌહાણની 17 વર્ષીય દીકરી તુલસીએ પોતાના રૂમમાં અગ્નિસ્નાન કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ચૌહાણ દંપતીને પુત્રીના રૂમમાંથી ધુમાડા નીકળતા દેખાયા હતા.

    MORE
    GALLERIES

  • 35

    રાજકોટ : પિતાએ ઠપકો આપતાં પુત્રીએ કર્યું અગ્નિ સ્નાન, એકની એક દીકરી ગુમાવતા પરિવાર માથે વજ્રાઘાત

    દંપતી દ્વારા ડોલ વડે પાણી નાખી આગ બુઝાવવા નો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેમજ તાત્કાલિક અસરથી 108ને જાણ કરવામાં આવતા 108 ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. 108ની ટીમ દ્વારા તુલસીને તપાસીને મૃત જાહેર કરવામાં આવી હતી. સંજયભાઈ ચૌહાણની એકની એક દીકરી એ આ પ્રકારે આત્મઘાતી પગલું ભરી લેતા ચૌહાણ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

    MORE
    GALLERIES

  • 45

    રાજકોટ : પિતાએ ઠપકો આપતાં પુત્રીએ કર્યું અગ્નિ સ્નાન, એકની એક દીકરી ગુમાવતા પરિવાર માથે વજ્રાઘાત

    સમગ્ર મામલાની જાણ બી ડિવિઝન પોલીસને થતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. બી ડિવિઝન પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સંજયભાઈ ને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

    MORE
    GALLERIES

  • 55

    રાજકોટ : પિતાએ ઠપકો આપતાં પુત્રીએ કર્યું અગ્નિ સ્નાન, એકની એક દીકરી ગુમાવતા પરિવાર માથે વજ્રાઘાત

    પુત્રી તુલસી રોજ રાત્રે ઘરની બહાર બેસતી હોય જે બાબતે ગઈકાલે પિતા સંજયભાઈ ઠપકો આપ્યો હતો. ઠપકો આપ્યા બાદ તુલસી પોતાના રૂમમાં ચાલી ગઈ હતી.  આપઘાત કરનાર તુલસી ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી. જેમાં તે નાપાસ થઈ હતી તેમજ હાલ તે અભ્યાસ પણ કરતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

    MORE
    GALLERIES