Home » photogallery » rajkot » Rajkot : સાહેબ પોલીસ સ્ટેશને કોઈ સાંભળતું ના હોવાથી આપઘાત કરવાની પડી છે ફરજ, વૃધ્ધે CP office પાસે છાંટ્યું કેરોસીન

Rajkot : સાહેબ પોલીસ સ્ટેશને કોઈ સાંભળતું ના હોવાથી આપઘાત કરવાની પડી છે ફરજ, વૃધ્ધે CP office પાસે છાંટ્યું કેરોસીન

Rajkot crime news: રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી (Rajkot City Police Commissioner's Office) ખાતે એક વૃદ્ધને આપઘાતનો (Old man suicide attempt) પ્રયાસ કરવાની ફરજ પડી હતી. વૃદ્ધ બાવકુભાઈ જાડેજાએ કેરોસીન છાંટીને પોતાની જાત ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

विज्ञापन

  • 15

    Rajkot : સાહેબ પોલીસ સ્ટેશને કોઈ સાંભળતું ના હોવાથી આપઘાત કરવાની પડી છે ફરજ, વૃધ્ધે CP office પાસે છાંટ્યું કેરોસીન

    રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot News) દિનપ્રતિદિન આપઘાતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી (Rajkot City Police Commissioner's Office) ખાતે એક વૃદ્ધને આપઘાતનો (Old man suicide attempt) પ્રયાસ કરવાની ફરજ પડી હતી. વૃદ્ધ બાવકુભાઈ જાડેજાએ કેરોસીન છાંટીને પોતાની જાત ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાવકુભાઈ કેરોસીન છાંટતા જ તાત્કાલિક અસરથી ફરજ પર હાજર રહેલા અધિકારીઓએ તેમને આપઘાતનો પ્રયાસ કરતા અટકાવ્યા હતા. તેમજ તાત્કાલિક અસરથી પ્રદ્યુમન નગર પોલીસ ને જાણ કરતા પ્રદ્યુમન નગર પોલીસનો સ્ટાફ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 25

    Rajkot : સાહેબ પોલીસ સ્ટેશને કોઈ સાંભળતું ના હોવાથી આપઘાત કરવાની પડી છે ફરજ, વૃધ્ધે CP office પાસે છાંટ્યું કેરોસીન

    મીડિયા સાથેની વાતચીતમાં વૃધ્ધે પોતાનું નામ બાવકુભાઈ જાડેજા હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતે પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી હોવાનું પણ જણાવ્યું હતું. બાવકુભાઈ જાડેજાએ આજીડેમ પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ચાર દિવસથી આજીડેમ પોલીસ મથક ખાતે ધક્કા ખાઇ છે.

    MORE
    GALLERIES

  • 35

    Rajkot : સાહેબ પોલીસ સ્ટેશને કોઈ સાંભળતું ના હોવાથી આપઘાત કરવાની પડી છે ફરજ, વૃધ્ધે CP office પાસે છાંટ્યું કેરોસીન

    તેમ છતાં પોલીસ તેમની ફરિયાદ નથી નોંધી રહી. રવિ જાડેજા સહિતના માથાભારે શખ્શો બાવકુભાઈ જાડેજાને તેમજ તેમના પરિવારજનોને હેરાન કરતા હોવાનું આપઘાતનો પ્રયાસ કરનાર વૃદ્ધે જણાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 45

    Rajkot : સાહેબ પોલીસ સ્ટેશને કોઈ સાંભળતું ના હોવાથી આપઘાત કરવાની પડી છે ફરજ, વૃધ્ધે CP office પાસે છાંટ્યું કેરોસીન

    બાવકુભાઇ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા રવિ જાડેજા સહિતના શખ્શો અમારા ઘરે આવ્યા હતા ત્યાર બાદ અમને માર પણ માર્યો હતો. જે બાબતની પણ ફરિયાદ અમે આજીડેમ પોલીસ મથકે કરી હતી. પરંતુ આજ દિવસ સુધી તે બાબતે અમને કોઈ પણ જાતનો ન્યાય નથી મળ્યો.

    MORE
    GALLERIES

  • 55

    Rajkot : સાહેબ પોલીસ સ્ટેશને કોઈ સાંભળતું ના હોવાથી આપઘાત કરવાની પડી છે ફરજ, વૃધ્ધે CP office પાસે છાંટ્યું કેરોસીન

    હાલ પણ રવિ જાડેજા સહિતના માથાભારે શખ્સોએ અમારું જીવતર ધૂળ બરાબર કરી નાખ્યું હોય તે પ્રમાણે એમને શાંતિથી ખાવા પણ નથી દેતાં. જેના કારણે મારે શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આવીને આપઘાતનો પ્રયાસ કરવાની ફરજ પડી છે.  ત્યારે ખરા અર્થમાં વૃદ્ધના આક્ષેપો મા કેટલું તથ્ય છે તે તો આગળની પોલીસ તપાસમાં જ સામે આવશે.

    MORE
    GALLERIES